દૂરદર્શને વિપક્ષી નેતાઓના ભાષણોમાંથી ‘મુસ્લિમ ‘ અને ‘નાદારી ‘ શબ્દો હટાવ્યા
ઈલેકટોરલ બોન્ડનો ઉલ્લેખ પણ દૂર કરાવ્યો
પ્રસાર ભારતીએ દુરદર્શન પર પ્રસારિત થનારા બે વિપક્ષી નેતાઓના ભાષણમાંથી મુસ્લિમ તથા સરકારની વહીવટી નાદારી શબ્દો કાઢી નાખ્યા હતા.ઇલેકટોરલ બોન્ડ અંગે નો ઉલ્લેખ પણ એ ભાષણોમાંથી દૂર કરી દેવાયો હતો.
દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર દરેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને સ્લોટ ફાળવવામાં આવે છે જેમાં જે તે પક્ષના નેતાઓ પોતાનો અભિપ્રાય આપી શકે છે.દરમિયાન સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ભાષણમાં ‘ કોમી સરમુખત્યાર શાસન,કઠોર કાયદા અને સરકારની વહીવટી નાદારી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.તેમાંથી કોમી સરમુખત્યારશા શાસન અને કઠોર કાયદા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા.દૂરદર્શનના આગ્રહ ને કારણે તેમણે બાદમાં વહીવટી નાદારી ને બદલે વહીવટી નિષ્ફળતા શબ્દનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. બાદમાં સીતારામ યેચુરીએ કહ્યું કે લોકશાહીમાં વિપક્ષના નેતાઓને પોતાની વાત સ્પષ્ટ પણે રજૂ કરવાનો અધિકાર છે પરંતુ જ્યાં ‘વહીવટી નાદારી ‘ શબ્દ પણ સ્વીકાર્ય ન હોય એ શાસનને સરમુખત્યાર શાસન ન કહેવાય તો બીજું શું કહેવાય?
એ જ રીતે ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકના નેતા જી. દેવરાજને સીએએ અને એનારસી જેવા કાયદાની મુસ્લિમો પર પડનારી અસર અંગે ટીકા થતી હોવાનું જણાવ્યું હતું. પ્રસાર ભારતી દ્વારા તેમને મુસ્લિમ શબ્દ દૂર કરી તેના સ્થાને ‘ ચોક્કસ સમુદાય ‘ શબ્દનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું.સીતારામ યેચુરીએ ઇલેકટોરલ બોન્ડ અંગે કરેલી ટિપ્પણી પણ દૂર કરી દેવાઈ હતી.