કોઇની ભૂલને લીધે પોક આપણા હાથમાંથી નીકળી ગયું
વિદેશમંત્રી જયશંકરે નેહરુનું નામ લીધા વિના પ્રહાર કરી ચીનની ટીકા કરી
વિદેશ પ્રધાન એસ જયશંકરે નામ લીધા વિના, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને જવા દેવા બદલ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુની ઝાટકણી કાઢી હતી. ગુરુવારે જયશંકરે કહ્યું હતું કે ‘કોઈની નબળાઈ કે ભૂલને કારણે’ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતના હાથમાંથી ગયું.
વિશ્વબંધુ ભારત કાર્યક્રમમાં જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે જો ભારત ‘લક્ષ્મણ રેખા’ પાર કરીને પીઓકેને ભારતમાં ભેળવી દે તો ચીનનો શું જવાબ હશે? તેના પર જયશંકરે કહ્યું, મને નથી લાગતું કે આવી કોઈ લક્ષ્મણ રેખા હોય. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો એક ભાગ છે અને કોઈની ભૂલ કે નબળાઈને કારણે તે અસ્થાયી રૂપે આપણા હાથમાંથી નીકળી ગયું છે.
પીઓકે પર ફરીથી દાવો કરવા માટેના સંસદીય ઠરાવની પુષ્ટિ કરતા જયશંકરે આ ક્ષેત્રમાં ચીનની દખલગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ન તો પાકિસ્તાન કે તેના પડોશીઓ પોકની સાર્વભૌમત્વનો દાવો કરી શકે છે કારણ કે તેના પર ભારતનો કાનૂની દાવો છે.
‘દરેક વ્યક્તિ જાણે છે કે ચીનની હરકતો
જયશંકરે કહ્યું, ‘હું ચીનમાં રાજદૂત હતો અને આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં ચીનની હરકતો કેવી રહી છે અને તેની પાકિસ્તાન સાથેની મિલીભગત… આ જૂનો ઇતિહાસ છે. અમે તેમને વારંવાર કહ્યું છે કે તે જમીન પર પાકિસ્તાન કે ચીનનો કોઈ દાવો નથી. જો કોઈ તેના સાર્વભૌમત્વને પાત્ર છે, તો તે ભારત છે. તમે તેના પર કબજો કર્યો છે, તમે ત્યાં સ્ટ્રક્ચર્સ બનાવી રહ્યા છો. પરંતુ કાયદાકીય અધિકાર આપણો છે.