છત્તીસગઢમાં શું થયું ? વાંચો
કેટલા નક્સલી માર્યા ગયા ?
છત્તીસગઢના કાનકેર પંથકમાં મંગળવારે નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે ખેલાયેલા કલાકો સુધીના લાંબા ગોળીયુધ્ધમાં 18 નક્સલી ઠાર થયા હતા અને 3 જવાનો પણ ઘાયલ થયા હતા. પહેલાથી જ જવાનો પર હુમલો કરવા માટે તૈયાર બેઠેલા નક્સલીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.
જવાનોએ સ્વબચાવમાં સામો ગોળીબાર કરતાં 18 નક્સલી માર્યા ગયા હતા. જવાનોએ જંગી માત્રામાં હથિયારો પણ કબજે કર્યા હતા. જેમાં એ કે-47 અને ઓટોમેટિક શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે. દારૂગોળો પણ મોટી સંખ્યામાં મળી આવ્યો હતો.
માર્યા ગયેલા નક્સલીઓમાં મુખ્ય કમાન્ડર શંકર રાવનો પણ સમાવેશ થાય છે. તેના માથા પર રૂપિયા 25 લાખનું ઈનામ હતું. આ ગોળીયુધ્ધ બાદ જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન કર્યું હતું. જંગલ વિસ્તારમાં વધુ નક્સલીઓ છુપાયા છે કે કેમ તેની તપાસ કરી હતી.