અણ્ણા હજારે શું કહ્યું કેજરીવાલ વિશે જુઓ …
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેએ મોટું નિવેદન આપ્યું છે. અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે અન્ય સારા કામો છે જે કાયદા દ્વારા થઈ શકે છે.
અણ્ણા હજારેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે દારૂની નીતિને લઈને ઉભા થયેલા પ્રશ્નો અંગે વાત કરવી જોઈતી હતી. અણ્ણા હજારેએ કહ્યું કે હું કેજરીવાલની ધરપકડથી દુખી નથી. દારૂની નીતિ લાવવી ખોટી હતી. અન્નાએ કહ્યું કે જ્યારે દારૂની નીતિ બની ત્યારે મેં કેજરીવાલને પત્ર લખ્યો હતો.
અણ્ણા હજારેએ યાદ કર્યું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા.અણ્ણાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે, એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.