વડાપ્રધાને રામ મંદિર અંગે મંત્રીઓને કેવી સૂચના આપી? જુઓ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને આડેધડ નિવેદન બાજી નહી કરવાની સૂચના આપી હતી. મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને મંત્રીઓને કહ્યું હતું કે, ખોટી નિવેદન બાજીઓથી દૂર રહેજો. આસ્થા બતાવો પણ આક્રમકતા નહી.
મંત્રીઓને વડાપ્રધાને કહ્યું હતું કે, બધાએ મર્યાદાઓનો ખ્યાલ રાખવો પડશે. પોત-પોતાના ક્ષેત્રોમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય તેનું તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. પોત પોતાના વિસ્તારોના લોકોને 22મી જાન્યુઆરી બાદ રામ લલ્લાના દર્શન માટે લઈ આવવાના છે અને તેમાં તમારે બધાએ મદદ કરવાની છે.
દેશમાં કોઈપણ રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈ પ્રકારની ગરબડથી બચવા માટે વડાપ્રધાને મંત્રીઓને ખોટી નિવેદન બાજીથી દૂર રહેવાની સૂચના આપી હતી. બધા મંત્રીઓએ સૂચનનો અમલ કરવાની ખાત્રી આપી હતી.