Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ

Tue, August 11 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે ચેક વિતરણ શહેરી વિકાસ મંત્રી – કૃષિ મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કર્યું

નગરોમાં સુખાકારી સુવિધાઓ સિટિઝન સેન્ટ્રિક, ટ્રાન્સપેરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલૉજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીના નેતૃત્વમાં નાણાના અભાવે શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખીએ: શહેરી વિકાસ મંત્રીકનુ દેસાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી નથી રહી. એટલું જ નહિં, લોકહિતના જે કામો થાય છે તે લોકો જુએ છે અને ઈઝ ઓફ લિવિંગને પરિણામે વધુ નવા કામો માટેની લોકોની અપેક્ષાઓ જાગી છે.

મુખ્યમંત્રી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી મતી દર્શના વાઘેલા અને નાયબ દંડકજગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં આ ચેક વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.

ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ. ૮૭૦ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૭૭૦ કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૨૮૫ કરોડ, રાજકોટને રૂ. ૨૩૨ કરોડ, ભાવનગરને રૂ. ૧૦૫ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે. તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૬૫-૬૫ કરોડ પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!

આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી પ્રત્યેક શહેરને રૂ. ૫૫-૫૫ કરોડની રકમ અર્પણ કરવામાં આવી હતી.

નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે ‘અ’ વર્ગની કુલ ૪૧ નગરપાલિકાઓને રૂ. ૩૦૭.૫૦ કરોડ તથા ‘બ’ વર્ગની ૩૪ નગરપાલિકાઓને રૂ. ૨૨૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૨૭૦ કરોડ અને ‘ડ’ વર્ગની ૧૭ નગરપાલિકાઓને રૂ. ૫૯.૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવાય. એટલું જ નહિં, જેટલા કામો થાય તે ગુણવત્તાયુક્ત થાય તે માટે પદાધિકારીઓ-અધિકારીઓ કામોની સાઈટ વિઝીટ સાથે મળીને કરે.

મુખ્યમંત્રીએ શહેરોમાં નવા નિર્માણ થનારા રસ્તાઓ આર.સી.સી.ના જ બને તેની તાકીદ કરતા એમ પણ કહ્યું કે, સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી લેવાય તે જરૂરી છે. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.

ગ્રીન કવર વધારીને પર્યાવરણ પ્રિય શહેરો બનાવવાની હિમાયત કરતાભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેનો પણ લોકોની સુખાકારી માટે બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક વગેરેના નિર્માણ ઉપરાંત અમલ થાય તે જરૂરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી નગર વિકાસ માટે વધુ નાણાં ફાળવણીથી અર્બન ડેવલપમેન્ટનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને સર્વગ્રાહી વિકાસ કામોથી આપણે આગળ ધપાવ્યો છે. અગાઉ નગરો માટેના બજેટ ત્રણ-ચાર લાખ રૂપિયાના બનતા આજે એક જ દિવસમાં કરોડોની ગ્રાન્ટ વિકાસ કામો માટે અપાય છે તેવી સંગીન સ્થિતિ ઊભી કરી છે.

તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત નગરોથી લીડ લેવા પણ ચૂંટાયેલા પદાધિકારીઓને પ્રેરણા આપી હતી. શહેરી વિકાસ મંત્રીકનુ દેસાઈએ આ અવસરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીભૂપેન્દ્રના નેતૃત્વમાં નાણાં વિના શહેરોમાં વિકાસના કોઈ કામો અટક્યા નથી, પણ આપણે આ કામ વધુ ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોમાં વિકાસના કામો કરવા જોઈએ.

મંત્રીએ કહ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત આપણા શહેરોને વધુને વધુ હરિયાળા બનાવવા તરફ આગળ વધવાનું છે. વડાપ્રધાનએ આપેલા ‘સ્વચ્છતા અભિયાન’ના કોલને આપણે સાથે મળીને આગળ વધારીશું તો શહેરો વધુ સ્વચ્છ બનશે. ૨૦૪૭ સુધીમાં અંદાજે ૭૦થી ૭૫ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે તે માટે આપણે અત્યારથી જ સુચારું ક્વોલિટી વર્ક થાય તેવું આયોજન સુનિશ્ચિત કરવું પડશે, તેમ મંત્રીએ ખાસ ભાર મૂકતા ઉમેર્યું હતું.

શહેરી વિકાસ રાજ્ય મંત્રી મતી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણીની શરૂ કરેલી આ પરંપરાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી જનજીવનની સુખાકારીમાં વધારો કરવાનો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા સ્થાનિક કારીગર-કલાકારો માટે સ્વદેશી મેળા અને ઘન કચરાના નિકાલ માટે ઝોન વાઈઝ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના ‘ગુણવત્તાયુક્ત કામ’ અને ‘સ્વચ્છ ગુજરાત’ના મિશનને વેગ આપીને ગુજરાત વિકાસની સાથે સાથે સ્વચ્છતામાં પણ દેશભરમાં પ્રથમ ક્રમે આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે “૨૦ વર્ષ શહેરી વિકાસના” તથા “અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા” કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મતી મીરાબેન પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવએમ. થેન્નારસન, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરરેમ્યા મોહન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના CEOવીણા પટેલ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપરાંત કમિશનરઓ, નગરપાલિકાના પ્રમુખઓ અને ચીફ ઓફિસરઓ સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

ChequesCityImprovementCommunityDevelopmentDevelopmentWorksEconomicGrowthFinancialSupportGovernmentInitiativesInfrastructureInvestmentLocalGovernanceMunicipalCorporationsMunicipalFundingPublicWorksRs3850CroreStateFundingUrbanDevelopment

Share Article

Other Articles

Previous

‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ

Next

હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હોશિયારપુરમાં 111 હોદ્દેદારોના રાજીનામાથી હાઈકમાન્ડ હરકતમાં, પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
1 કલાક પહેલા
‘શક્તિદૂત 2.0’ યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
1 કલાક પહેલા
રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂપિયા 3850 કરોડના ચેક અર્પણ
2 કલાક પહેલા
હાર્દિક પંડ્યા માટે 5 ટીમો વચ્ચે ‘યુદ્ધ’: જાણો કઈ ટીમ કોને આપવા તૈયાર છે!
4 કલાક પહેલા
Categories

નેશનલ

3425 Posts

Related Posts

છત્તીસગઢમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો: કાચ તૂટી ગયા, 5 બદમાશોની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાલોડ હોસ્ટેલમાં ધો-9ની વિદ્યાર્થિનીએ સહાધ્યાયી પર ચપ્પુથી હુમલો કર્યો
Breaking
2 મહિના પહેલા
રાજકોટના શ્રી હરિ સમોસામાં 38 લાખની જીએસટી ચોરી ઝડપાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
વરસાદને કારણે રાજકોટ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર