જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય
ઝારખંડમાં જમશેદપુરના બહરાગોડામાં આવેલી સ્વર્ણરેખા નદીના તટ પરથી એક શંકાસ્પદ લોખંડની વસ્તુ મળી આવતા અને આ વસ્તુ કોઈ ધાતુ નહીં પરંતુ શક્તિશાળી બોમ્બ હોવાનું જાહેર થતા હડકંપ મચી ગયો છે. બોમ્બ સ્કવોડે આ 226 કિલોનો એક શક્તિશાળી બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરીહતી.
આ બોમ્બ એટલો શક્તિશાળી છે કે, રાંચીથી આવેલી બોમ્બ સ્કવોડ તેને નિષ્ક્રિય કરી શકી નહી. રાંચી બોમ્બ સ્કવોડના ઇન્ચાર્જ નંદકિશોર સિંહે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય બોમ્બ નથી. તો ખૂબ મોટો છે અને શક્તિશાલી હોય તેવું લાગી રહ્યું છે. આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે વિશિષ્ટ તકનીકો અને કુશળતાની જરૂર છે. સામાન્ય રીતે આવી તકનીક ભારતીય સેના પાસે જ હોય છે. જેથી હવે આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે સેનાની મદદ લેવામા આવશે તેવું લાગી રહ્યું છે.
આ મામલાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વાર આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો અને નાકાબંધી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ લોકોને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે કે, આ વિસ્તારથી દૂર રહેવું, અને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં. અત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામં આવી રહી છે. ખાસ તો લોકોની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
