આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
રાજકોટ એઈમ્સમાં એમબીબીએસના અભ્યાસ કરતાં ઈન્ટર્ન તબીબ રાજસ્થાનના વતની રતન મોહનલાલ મેઘવાલ (ઉ.વ.26)એ તા.14ને શનિવારે માધાપર રેલવે ટ્રેક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને કરેલા આપઘાતના બનાવમાં પોલીસે રતનના સાથી પાંચ તબીબની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આત્મઘાતી પગલું ભરતા પૂર્વે રતને લખેલી 17 પેજની સ્યુસાઈડ નોટમાં પાંચેય સાથી તબીબોના મારપીટ અને ત્રાસના આક્ષેપો સાથે “ઈસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ” સહિતના શબ્દો લખાયેલા છે.
આપઘાતની ઘટના સંદર્ભે મૃતકના પિતા મોહનલાલ બીજલારામ મેઘવાલ (ઉ.વ.57)ને રાજકોટથી પોલીસે ફોન કરીને જાણ કરતાં મોહનલાલ પરિવારના સભ્યો સાથે રાજકોટ દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલાં 17 પેજની સ્યુસાઈડ નોટ લખી હતી, જે આધારે મોહનલાલે પુત્ર રતનની સાથે અભ્યાસ કરતાં એઈમ્સના પાંચ ઈન્ટર્ન તબીબ (વિદ્યાર્થી) રાજસ્થાનના પ્રણવ મોહનલાલ પાલીવલ, અસ્મિત રાકેશ શર્મા, યુવરાજ રાજારામ ચૌધરી તથા હરિયાણાના નિર્વિઘ્નમનુર વિનોદકુમાર યાદવ, આયુશ સુરેશનંદન યાદવ સામે પુત્રને માર મારી, ત્રાસ ગુજારી આપઘાત કરવા મજબૂર કર્યાના આરોપસર ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીપી ચિંતન પટેલ તથા ટીમે પાંચેય સહઅધ્યાયી તબીબની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીએ પૂછતાછમાં પોતે આવી બાબતે કશું જાણતા ન હોવાનું રટણ કર્યું હતું. ધરપકડ બાદ પાંચેયને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા છે.
મૃતક રતને 17 પેજની લખેલી સ્યુસાઈડ નોટમાં મદાર કે પાત્ર સ્નેહા (નામ બદલ્યું છે) નામનું વધુ કેન્દ્રિત દેખાયું છે. નેહા પ્રત્યે વિશેષ લગાવ હોય તેમ સ્નેહા આગળ વધીને તબીબ બને “મેને નેહા કો પ્રણવ સે બચા લીયા” તો પ્રણવ શું નેહાને કોઈ પ્રકારે હેરાન કરતો હતો ? સ્યુસાઈડ નોટમાં અને નેહાને કંઈ ન કરવા જેવા ભાવનાત્મક શબ્દોનો પણ ઉલ્લેખ કરાયો છે.
પોલીસ ફરિયાદમાં પેનથી હિન્દી અને અંગ્રેજી શબ્દોમાં લખાયેલી સ્યુસાઈડ નોટમાં રતન સાથે અભ્યાસ કરતી સ્નેહા બાબતે રતનના સાથી અધ્યાયીઓ દ્વારા હેરાનગતિ થતી હતી. બે માસ પૂર્વે રતનને આરોપી સાથી તબીબોએ માર માર્યો હતો.
સ્યુસાઈડ નોટમાં “ઈસ નોટ કો રતન કાહી ડાઇંગ ડિક્લેરેશન માના જાએ, તા.27-1-26 કો મેં શારીરિક ઔર માનસિક પ્રતાડકા શિકાર હુઆ હુ, મેરી મોત કે જીમ્મેદાર પાંચ લડકે હે જીન્હોને મારપીટ કરી મેરે સાથ.” પાંચેયના નામો લખ્યા છે. યુવતી સાથે સંબંધોની શંકાના આધારે આરોપીઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા જેથી પુત્ર રતને આપઘાત કરી દીધાનો આરોપ મૃતકના પિતા મોહનલાલે મુક્યો છે.
જાણવા મળ્યું મુજબ પોલીસે ફરિયાદના આધારે કલાકોમાં જ પાંચેય વિદ્યાર્થિનીને પકડી પાડ્યા અને જેલ હવાલે કર્યા તેમનું સોમવારે પેપર છે. તપાસનીશ પોલીસ ટીમ દ્વારા આપઘાતની આ ઘટના સંદર્ભે ડીન અને અન્યની પૂછપરછ, નિવેદન લેવાશે.
રતને સ્યુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ કે ઈ.ડી. સર, ડીન એકેડેમિક, સ્ટુડન્ટ કમિટી તથા પોલીસને મેલ કર્યા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આપઘાત પહેલાં ઘટના સંદર્ભે યુવતીને જાણ કરી હતી તેવા ઉલ્લેખ પ્રમાણે પોલીસ યુવતીની પણ પૂછતાછ, નિવેદન લેશે તેવું જાણવા મળે છે.
