Jharkhand Air Ambulance Crash: ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ એર એમ્બ્યુલન્સ તૂટી પડી: દર્દી સહિત 7 લોકોના મોત
ઝારખંડના રાંચીથી દર્દી તેમજ પરિવારજનોને સાથે લઈ દિલ્હી આવી રહેલી એર એમ્બ્યુલન્સ ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ તૂટી પડ્યું હતું ત્યારે આ ઘટના અંગેના નવા અપડેટમાં જાણવા મળ્યું છે કે તેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી.
રાંચી એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ મથક અંતર્ગત કરમાટાંડ ગામ પાસે આવેલા ઘેઘુર જંગલમાં તૂટી પડયું હતું. વિમાને રાંચી એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ રસ્તામાં જ રડાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.
#WATCH | An air ambulance, with seven people (including 2 crew members) on board, crashed in Kasariya Panchayat, Simariya block of Chatra district, in Jharkhand.
— ANI (@ANI) February 24, 2026
It was a Redbird Airways Pvt Ltd Beechcraft C90 aircraft VT-AJV operating a medical evacuation (air ambulance)… pic.twitter.com/xmr9OOcdNh
રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડના વિમાને સાંજે 7:11 વાગ્યે રાંચી એરપોર્ટથી ઉડાન ભરી તેના થોડા સમય પછી જ આ દુર્ઘટના બની હતી. ચતરા ડેપ્યુટી કમિશનર કીર્તિશ્રીએ જણાવ્યું હતું કે, “એર એમ્બ્યુલન્સમાં સવાર તમામ સાત લોકોના અકસ્માતમાં મોત થયા હતા. વિમાન રાંચીથી દિલ્હી જઈ રહ્યું હતું.” તેમણે ઉમેર્યું હતું કે, “વિમાન સાંજે 7:34 વાગ્યે ગાયબ થઈ ગયું અને સિમરિયાના બારિયાતુ પંચાયત વિસ્તારમાં ક્રેશ થયું.”
વિમાનમાં કુલ સાત લોકો સામેલ હતા
આ વિમાનમાં કુલ સાત લોકો સામેલ હતા જેમાં એક દર્દી, એક ડૉક્ટર, એક પેરા મેડિકલ સ્ટાફ, એ એટેન્ડન્ટ (દર્દીના પરિવારજન), એક મુખ્ય પાયલટ અને એક કો-પાયલટનો સમાવેશ થાય છે. આ લોકોના નામ અર્ચના કુમારી, ધ્રુવ કુમાર, ડૉ. વિકાસ કુમાર ગુપ્તા, સચિન કુમાર મિશ્રા અને વિમાન પાયલટ કેપ્ટન વિવેક વિકાસ ભગત અને કેપ્ટન સવરાજદીપ સિંહ છે.
ડીજીસીએ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવાયું કે રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડનું વિમાન જે રાંચી-દિલ્હી આવવા માટે નીકળ્યું હતું તે ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા ગામે દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાનમાં કુલ સાત લોકો બેઠા હતા. આ વિમાન રાંચીથી સાંજે 7:11 વાગ્યે ઉડ્યું હતું. કોલકત્તા (એટીસી) સાથે સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7:34 વાગ્યે વિમાનનો સંચાર અને રડાર સંપર્ક તૂટી ગયો હતો.
એસડીપીઓ શુભમ ખંડેલવાલે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સવરાજદીપ સિંહ, સંજય કુમાર, ડૉ. વિકાસ કુમાર ગુપ્તા, સચિન કુમાર મિશ્રા, અર્ચના દેવી અને ધૂરુ કુમાર તરીકે થઈ છે.
