13 વર્ષના પુત્રને મૂકીને યુવક સાથે ભાગી જતાં પતિ ગુમસૂમ રહેતો હતો, પરિવાર લગ્નમાં જતાં પાછળથી ફાંસો ખાઇ લીધો
શહેરના કોઠારીયા રોડ પર આવેલ ભગવતી પાર્ક વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. પત્ની 13 વર્ષના પુત્રને મૂકીને અન્ય યુવક સાથે ભાગી જતાં છૂટાછેડા બાદ પણ પત્નીને ભૂલી ન શકતાં વિરહમાં 35 વર્ષીય યુવકે ફાંસો ખાઈ િંજદગી ટૂંકાવી લીધી હતી.
આ અંગેની વિગતો મુજબ, કોઠારીયા રોડ અખાડા વાડી શેરીમાં રહેતો રવિ કિશોરભાઈ પરમાર નામનો યુવક ચાંદી કામ કરી
પરિવારનું ગુજરાન ચલાવતા હતો. રવિવારે યુવકનો પરિવાર જામનગર ખાતે ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયો હતો.
ત્યારે પાછળથી રવિએ ઘરે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પડોશમાં રહેતાયુવકે ઘરે જઈ તપાસ કરતા રવિભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા તાત્કાલિક યુવકે રવિના બનેવી સુનિલને જાણ કરી હતી. રવિ પરમારને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનવાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રવિના લગ્ન જામનગરની આશિકા ઝાખરિયા સાથે થયા હતા અને તેમને 13 વર્ષનો એક પુત્ર પણ છે.
ગત દિવાળીના સમયે રવિની પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમ થતા તે 13 વર્ષના પુત્ર અને પતિને છોડીને ભાગી ગઈ હતી.આ ઘટના બાદ બંને વચ્ચે છૂટાછેડા (ડિવોર્સ) થઈ ગયા હતા. રવિ પત્નીને અત્યંત પ્રેમ કરતો હોવાથી ડિવોર્સ બાદ સતત ગુમશુમ રહેતા હતો. પત્નીના જવાથી લાગેલો આઘાત સહન ન થતાં તેણે આ પગલું ભર્યું હતું.
