યુદ્ધ તો 88 કલાકનું, પણ 8 મહિના પછી પણ ભોલારી એર બેઝ ખંડેર
ભારત-પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા 88 કલાકીય સંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેનાએ (IAF) કરેલા હુમલાનો પ્રભાવ પાકિસ્તાનના ભોલારી એરબેઝ પર આજે પણ દેખાઈ રહ્યો છે. હુમલા પછી પૂરા આઠ મહિના વીતી ગયા હોવા છતાં એરબેઝના ભારે નુકસાન પામેલા હેંગરનું સમારકામ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાનું નવા ઉપગ્રહ ચિત્રોથી સામે આવ્યું છે.
28 જાન્યુઆરી 2026ના લેવાયેલા તાજા ચિત્રોમાં હેંગરની લીલી છતના મોટા ભાગના પટ્ટા ઉતારી નાખવામાં આવ્યા હોવાનું જણાય છે. અંદરના માળખાકીય નુકસાન હજુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ઉપરનો ભાગ તોડીને દૂર કરવામાં આવતા હવે પુનનિર્માણ માટે તૈયારી ચાલી રહી હોવાનું સંકેત મળે છે. નિષ્ણાતો માને છે કે આખું સમારકામ કરવા માટે નવી છત, સ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને આખો કચરો દૂર કરવો પડશે.
IAFના મૂલ્યાંકન મુજબ આ જ હેંગરમાં પાકિસ્તાન વાયુસેનાનું એરબોર્ન અર્લી વોિંર્નગ એન્ડ ક્નટ્રોલ (AEW&C) વિમાન-સંભવત SAAB 2000 પએરીઆઈથ નષ્ટ થયું હતું. આ પ્રકારનું વિમાન હવાઈ દેખરેખ અને યુદ્ધ નિયંત્રણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.
ભોલારી એર બેઝ પરના હુમલા પછી યુદ્ધવિરામની આજીજી
ભોલારી એરબેઝ પર 10 મે 2025ના સવારે અંદાજે 10થી 12 વાગ્યા દરમિયાન હુમલો થયો હતો. તે સમયે પાકિસ્તાની ડ્રોન ઘુસણખોરી અને ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવવાના પ્રયાસોને જવાબરૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના સૈન્ય મથકો પર હુમલા તેજ કર્યા હતા. આ જ તીવ્ર કાર્યવાહી બાદ થોડા જ કલાકોમાં પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર થયું હતું. હુમલામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ઓપરેશન િંસદૂર દરમિયાન IAF દ્વારા રફાલ વિમાનોમાંથી ફ્રેન્ચ SCALP મિસાઈલ, સુ-30 MKI પરથી ઇઝરાયેલી રેમ્પેજ, મિરાજ 2000 પરથી ક્રિસ્ટલ મેઝ અને બ્રહ્મોસ એર-ટુ-સર્ફેસ મિસાઈલ સહિત વિવિધ આધુનિક હથિયારોનો ઉપયોગ થયાની ધારણા વ્યક્ત થાય છે.
અન્ય એરબેઝ પર પણ કામ ચાલુ
IAFના હુમલાઓ બાદ પાકિસ્તાનના અન્ય સૈન્ય મથકો પર પણ સમારકામના પુરાવા અગાઉ સામે આવ્યા હતા. મુરીદ એરબેઝ ખાતે નુકસાન પામેલી ઇમારતની છત પર લાલ તિરપાળ ઢાંકી રાખવામાં આવી હતી. સુક્કુરમાં ડ્રોન (UAV) હેંગર નષ્ટ થયા બાદ પુનનિર્માણ કાર્ય શરૂ કરાયું છે. વ્યૂહાત્મક રીતે સૌથી મહત્વના નૂર ખાન એરબેઝ પર કમાન્ડ-એન્ડ-ક્નટ્રોલ સેન્ટર પર થયેલા હુમલા પછી ત્યાં પણ મરામત હાથ ધરાઈ હતી.
