31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
બિહારના પટણાના પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન કે જેઓ પપ્પુ યાદવથી વધુ ઓળખાય છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન તેમને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોનો કહેવા મુજબ માથામાં ઈજા અને હૃદયરોગનો હુમલો આવ્યો છે. દરમિયાન, સાંસદ પપ્પુ યાદવે નીતિશ કુમાર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે તેમની હત્યા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઈન્સ્પેકટર સિવિલ ડ્રેસમાં આવ્યા હતા.ક્યાં કેસ માટે ધરપકડ કરવામાં આવી તેની જાણ કરવામાં આવી ન હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન પટણા પોલીસ પપ્પુ યાદવને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કોર્ટના આદેશ પછી તેમને જેલમાં મોકલવામાં આવશે.
આ ઘટના બાદ પપ્પુ યાદવના સમર્થકો ગુસ્સે છે. તેમના સમર્થકો પટણા, પૂર્ણિયા અને આરા સહિત અનેક સ્થળોએ હોબાળો મચાવી રહ્યા છે. આરામાં, પપ્પુ યાદવના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. સમર્થકોનો આરોપ છે કે સાંસદ ઘણા દિવસોથી નીટ વિદ્યાર્થી કેસમાં સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સરકાર આનાથી ડરી ગઈ છે, અને તેથી, તેમનો અવાજ દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અન્યાય છે.
આ પણ વાંચો :એપસ્ટીન ફાઇલ્સ : અનિલ અંબાણીની ચેટ સામે આવતા ખળભળાટ: કથિત મેસેજમાં સોનેરી વાળ ધરાવતી સ્વીડિશ મહિલાનો ઉલ્લેખ
પટના એસપી ભાનું પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે સાંસદ જીના કેસમાં ટ્રાયલ માટે કોર્ટમાં નિર્ધારિત તારીખે હાજર થયા ન હતા. તેથી, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પપ્પુ યાદવ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. બિહારી લાલ નામના એક વ્યક્તિએ પપ્પુ યાદવ અને તેના સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના પર છેતરપિંડીથી ઘર મેળવવાનો આરોપ હતો. તેઓ પહેલા ભાડૂઆત તરીકે ઘરમાં પ્રવેશ્યા અને પછી તેનો કબજો લીધો. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ પપ્પુ યાદવે હાજર રહેતા ન હોવાથી કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું.
