સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી: અજિત પવારના નિધનના ચોથા દિવસે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે શનિવારે મુંબઈના લોકભવન ખાતે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCP અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.
બારમતી પ્લેનક્રેશ દુર્ઘટના
28 જાન્યુઆરીના રોજ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અચાનક અવસાન થયું હતું. શપથ ગ્રહણ સમારોહ પહેલાં, સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા. તેઓ હવે અજિત પવારના મૃત્યુથી ખાલી પડેલી બારામતી બેઠક પરથી પેટાચૂંટણી લડશે. શપથ ગ્રહણ સમારોહ પહેલાં, સુનેત્રા પવારે તેમની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. સૂત્રો સૂચવે છે કે NCP તેમના મોટા પુત્ર પાર્થ પવારને તેમના સ્થાને રાજ્યસભામાં મોકલશે.
sunetra pawar has been appointed deputy cm of maharashtra under a bjp led government without being an mla or mlc and within days of her husband’s tragic death. as of now her primary qualification seems to be ajit pawar’s wife. if this is not parivaarwad, then what is?#Sunetra pic.twitter.com/F61Vl3R6V2
— Raj anand (@Rajanand7654) January 31, 2026
રાજ્યપાલે સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાંજે 5 વાગ્યે NCP નેતા સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા. વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અજિત પવારના અવસાન બાદ તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા. આ ક્ષણ તેમના માટે ભાવનાત્મક પણ હતી, કારણ કે તેમના પતિ અને રાજ્યના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અણધારી રીતે અવસાન થયું હતું.
શપથ ગ્રહણ કરતા પહેલા, સુનેત્રા પવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન, દેવગીરી બંગલામાં સ્વર્ગસ્થ અજિત પવારની તસવીરને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. પક્ષના નેતાઓ કહે છે કે આ નિર્ણય માત્ર NCP (અજિત જૂથ) માટે જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજકારણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુનેત્રા પવાર હવે અજિત પવારના મૃત્યુથી ખાલી થયેલી બારામતી બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
