બજેટમાં સિનીયર સિટીઝનને રેલવે ટિકિટમાં મળશે છૂટછાટ? રેલવે મંત્રાલય-નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઃ કોરોના વખતે આ છૂટ સ્થગિત કરવામાં આવી’તી
સામાન્ય બજેટની સાથે સાથે રેલવેનું બજેટ પણ રવિવારે જ રજૂ થવાનું છે ત્યારે સિનીયર સિટીઝન ક્નસેશન ફરી વખત શરુ થાય તેવી સંભાવના છે. આ સુવિધા માર્ચ 2020માં કોરોના મહામારી દરમિયાન અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. હાલમાં નાણાં મંત્રાલય અને રેલવે મંત્રાલય વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
જો સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે, તો 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ફરીથી ટ્રેન ટિકિટમાં છૂટનો લાભ મળી શકે છે.
ભારતીય રેલવે દાયકાઓથી સિનિયર સિટિઝન્સને ભાડામાં છૂટ આપતી આવી છે. અગાઉ પુરુષ મુસાફરોને 40 ટકા અને મહિલા મુસાફરોને 50 ટકા સુધીની છૂટ આપવામાં આવતી હતી. આ સુવિધા સ્લીપર, થર્ડ એસી, સેક્નડ એસી અને ફર્સ્ટ એસી સહિત લગભગ તમામ વર્ગોમાં લાગુ પડતી હતી.
આ પણ વાંચો :મહાશિવરાત્રિના મેળામાં જામશે ભજન-ભોજન-ભક્તિનો રંગ: 2900 પોલીસ જવાનો રહેશે તૈનાત, નાગા સાધુની રવેડીનો રુટ લંબાવાયો, જાણો જુનાગઢના મિનીકુંભની A ટુ Z માહિતી
સૂત્રોના જણાવ્યા મુજબ, બજેટ પૂર્વ બેઠકમાં સિનિયર સિટિઝન ક્નસેશન ફરીથી શરૂ કરવાની ચર્ચા થઈ છે અને સરકાર આ સુવિધા પુનઃબહાલ કરવા માટે સકારાત્મક વલણ દાખવી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે, તો સિનિયર સિટિઝન્સને રેલ મુસાફરીમાં ફરી એકવાર મોટી રાહત મળશે. નાણાકીય વર્ષ 2026ના બજેટમાં તેની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જેનાથી વૃદ્ધ મુસાફરોને મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે.
