રાજકોટના ઇસ્ટ ઝોનમાં PM સ્વનિધિ યોજના હેઠળ લોન માટે ફેરિયાઓએ કર્યો અરજીનો ઢગલોઃ સાતે ક્રેડિટ કાર્ડ માંગ્યા
કેન્દ્ર સરકાર દ્વારા નાની-નાની વસ્તુઓની ફેરી કરી પેટીયુ રળતાં શેરી ફેરિયાઓ પોતાના ધંધાનો વિકાસ કરી પગભર થઈ શકે તે માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ 15 હજારથી 50,000 સુધીની જામીન વગરની લોન બેન્કો મારફતે અપાવવામાં આવી રહી છે તે અંતર્ગત રાજકોટના ઈસ્ટ ઝોનમાં લોન આપવા માટે લોક કલ્યાણ મેળાના કરાયેલા આયોજનમાં ફેરિયાઓ દ્વારા લોન માટે અરજીનો ઢગલો કરવામાં આવ્યો હતો સાથે સાથે સાત ફેરિયાએ તો 30,000ની મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડ માટે પણ અરજી કરી હતી.
ઈસ્ટ ઝોનમાં થોરાળા, દૂધસાગર રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોય ત્યાં મોટી સંખ્યામાં ફેરિયાઓ રહેતા હોય તેમના દ્વારા ગરીબ કલ્યાણ મેળામાં લોન માટે અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :સોના-ચાંદી બાદ હવે કોપરનો હોટ ટ્રેન્ડ! 1 કિલોના બારનું ધૂમ વેચાણ: ડિમાન્ડ વધી, હાજર સ્ટોકની અછત,જાણો કોપરમાં રોકાણ કેમ વધ્યું..?
આ મેળામાં 335 અરજદારોએ ઉપસ્થિત લઈ વિવિધ યોજનાનો લાભ લીધો હતો. 270 અરજદારો દ્વારા લોન માટે અરજી કરવામાં આવી હતી તો સાત અરજદારોએ ક્રેડિટ કાર્ડ માટેની અરજી કરી હતી.
જ્યારે 11 અરજદારોને સરકાર દ્વારા વિવિધ યોજનાઓના લાભ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ અલગ-અલગ 11 બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે તમામ લોન સ્થળ ઉપર જ મંજૂર થાય તે માટે અરજી પણ ઓનલાઈન કરવામાં આવી હતી.
