સૌરાષ્ટ્ર રિજીયનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવી જંત્રીના 25 % દરે જમીન ફાળવો: વાઇબ્રન્ટ પૂર્વે ચેમ્બરની ધારદાર રજૂઆત
રાજકોટ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સયુક્ત મિટીંગ મળી હતી. ભાવનગર ચેમ્બર, જામનગર ચેમ્બર, જુનાગઢ ચેમ્બર, પોરબંદર ચેમ્બર તેમજ રાજકોટના વિવિધ સેક્ટરના 30 જેટલા એસોસીએશનો ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ વેપાર-ઉદ્યોગકારોને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી.
રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ ક્લીયરન્સની પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. ત્યારે ઈમિગે્રશનની પ્રક્રિયા તાત્કાલીક અસરથી પુરી કરવી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ કરાવવી ખાસ જરૂરી છે. સમગ્ર ગુજરાત રાજયમાંથી વ્યવસાય વેરો સંપુર્ણ પણે નાબુદ કરવો. ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર આ સેકટરને ખૂબ જ પ્રોત્સાહીત કરી રહ્યું છે. રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહ્યું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફ્રેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના 25% દરે જમીન ફાળવવી જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એક્સપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે.
વધુમાં 2ાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોર્જીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે.
રાજકોટ ખાતે ક્નવેન્શન સેન્ટર ઝડપથી સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને વેપાર-ઉદ્યોગોનો વ્યાપ વધે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઈન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દિન-પ્રતિદીન નિકાસ વધી રહયું હોય ત્યારે રાજકોટ ખાતે ઈનલેન્ડ ક્નટેઈનર ડેપો (આઇસીડી) સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આયાત-નિકાસકારોને વધુ વેગ મળી શકે.
દેશના અન્ય રાજયોએ તેમની ઔદ્યોગીક નીતીમાં ઘણું સરળીકરણ કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જીન માનવામાં આવે છે. તેથી અન્ય રાજયો કરતા ગુજરાત રાજ્યની નવી ઔદ્યોગીક નીતિમાં સુધારા-વધારા કરી વધારે સરળ કરવી ખુબ જ જરૂરી છે.
કેન્દ્ર સરકાર તથા 2ાજય સ2કાર સોલાર પ્રોજેક્ટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલાર પોલીસીમાં સરળીકરણ કરી બિલીંગ સાઈકલની સામે બેન્કડ એનર્જી 30% ના બદલે 100% કરી આપવું. જેથી કરીને સોલાર પોજેક્ટોને બુસ્ટ મળે તેવી માંગણી કરી છે.
