કેવું પગલું ભર્યું ખેલ મંત્રાલયે ? શું કર્યું ? વાંચો
- કુશ્તી સંઘ સાથે શું બન્યું ?
- શું કારણ આપ્યું સરકારે ?
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીના પરિણામ બાદ મહિલા પહેલવાનો દ્વારા આક્રમક પ્રતિભાવ અપાયા બાદ ભારે દેકારો બોલી ગયો હતો અને અંતે સરકારે તેની ગંભીર નોંધ લીધી છે અને અસાધારણ પગલું ભર્યું છે. ખેલ મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘને જ સસ્પેન્ડ કરી દીધું હતું અને સંજય સિંહનું પ્રમુખપદ રદ પણ કરી દીધું હતું.
ચુંટણીમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહનો વિજય થયો હતો અને પૂર્વ કુશ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. ત્યાર પછી મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃતિ લેવાની અને ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પદ્મ પુરસ્કારને પરત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા રેસલિંગ ફેડરેશનને જ સસ્પેન્ડ કરી દીધું હતું.
સ્પોર્ટ્સ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન અને તેના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા. સ્પોર્ટ્સ મંત્રાલયના મતે, ફેડરેશનના નવા ચૂંટાયેલા અધ્યક્ષે 21 ડિસેમ્બરે નિયમોથી વિરુદ્ધ જઈને આ વર્ષના અંત પહેલા જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધાની તારીખો જાહેર કરી દીધી હતી.
નિયમ પ્રમાણે કોઈપણ સ્પર્ધા શરુ કરવા ઓછામાં ઓછી 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે, જેથી ખેલાડીઓ તૈયારી કરી શકે. આ ઉપરાંત નવું ફેડરેશન સંપૂર્ણપણે જૂના અધિકારીઓના નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે, જેના પર પહેલાથી જ યૌન ઉત્પીડનના આરોપો છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીના બે દિવસમાં જ અંદરોઅંદર વિવાદ થયાના અહેવાલ હતા. વાત એમ હતી કે, અધ્યક્ષપદે ચૂંટાઈને સંજય સિંહે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપની તારીખો જાહેર કરી દીધી હતી. આ માટે તેમણે નિયમ પ્રમાણે મહા સચિવ પ્રેમચંદ લોચબ સાથે ચર્ચા પણ નહોતી કરી. તેથી પ્રેમચંદ લોચબ રોષે ભરાયા હતા અને તેમણે અનીતા શ્યોરાણના જૂથમાંથી ચૂંટાયેલા રેલવે ખેલ સંવર્ધન બોર્ડના પૂર્વ સચિવ લોચબે કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધો નહોતો.
લોચબ માને છે કે તમામ નિર્ણય WFIના મહાસચિવના માધ્યમથી લેવામાં આવે. લોચબે આરોપ મૂક્યો કે આ સમગ્ર મામલે અધ્યક્ષ સંજય સિંહે નિયમોની અવગણના કરી હતી.