અયોધ્યા જવા અંગે મમતા બેનર્જીનું વલણ શું છે ? જુઓ
વિપક્ષના નેતાઓ હવે રામ મંદિરના ઐતિહાસિક કાર્યક્રમમાં જવા અંગે ભારે મૂંઝવણમાં મુકાયેલા દેખાઈ રહ્યા છે. શું કરવું અને શું ના કરવું તેવી ગડમથલમાં છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી નું નામ પણ સામેલ છે ત્યારે હવે તૃળમૂલ કોંગ્રેસ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી દૂર રહેવાની શક્યતા છે. મમતા બેનરજી અયોધ્યા નહીં જાય તેવી વાત બહાર આવી હતી.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ છે જેના હાથે ભાગવાન રામ લલ્લાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે.
આ માટે યોગી સરકાર પુરજોશ તૈયારી કરી રહી છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા માટે દેશના તમામ મોટા નેતા, વિવિધ દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ સામેલ છે ત્યારે સુત્રોમાંથી સમાચાર મળી રહ્યા છે કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે નહીં. જો કે હજુ સુધી TMCએ સત્તાવાર રીતે નિર્ણયની જાહેરાત કરી નથી પરંતુ નજીકના સુત્રોએ જણાવ્યુ હતું કે પાર્ટી ભાજપ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉપયોગ આગામી 2024ની લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કરવા માંગે છે