કેજરીવાલને હટાવવાની બીજી અરજીનું શું થયું ? જુઓ
શું કહ્યું હાઇ કોર્ટે ?
દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે દિલ્હી દારૂ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી બીજી અરજીને પણ ફગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે આ અંગે પગલાં લેવાનો અધિકાર એલજી અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં આવો આદેશ આપી શકીએ નહીં. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, “ક્યારેક વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્ર હિત મોટું હોય છે, પરંતુ આ નિર્ણય તેમનો (કેજરીવાલ) છે.”
આ પહેલા પણ હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ એક્ઝિક્યુટિવ સાથે સંબંધિત મામલો છે. કેજરીવાલને સીએમ પદેથી હટાવવા માટેની આ પીઆઈએલ સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
હકીકતમાં, કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ઇડી દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાને લઈને ઇડીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી લિકર પોલિસીના અમલીકરણ અને તૈયાર કરવામાં અનિયમિતતાઓ હતી અને કેજરીવાલ તેના મુખ્ય આરોપી છે.