સિસોદિયાને શું લાગ્યો ઝટકો ? જુઓ
દિલ્હી લિકર પોલિસી કેસમાં આરોપી બનાવવામાં આવેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે મોટો ફટકો પડ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. મનીષ સિસોદિયાની આ બીજી જામીન અરજી હતી, આ પહેલા પણ નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. હવે સિસોદિયા હાઇકોર્ટમાં જશે તેમ એમના વકીલે જણાવ્યું હતું.
જામીન પરની ચર્ચા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય કાવતરાખોર છે. તે જ સમયે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કહ્યું હતું કે મનીષ સિસોદિયા એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને જો તેને જામીન મળે છે, તો તે માત્ર પુરાવા સાથે છેડછાડ નહીં કરી શકે પરંતુ સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે.
ઇડી અને સીબીઆઇનો આરોપ છે કે એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતા આચરવામાં આવી હતી. એવો આરોપ છે કે લાઇસન્સ ધારકોને અનુચિત તરફેણ કરવામાં આવી હતી, લાયસન્સ ફી માફ કરવામાં આવી હતી અથવા ઘટાડવામાં આવી હતી અને સક્ષમ અધિકારીની મંજૂરી વિના એલ-1 લાયસન્સ લંબાવવામાં આવ્યા હતા.