કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં શું કરી અરજી ? વાંચો
કયા મુદ્દે સરકારને રોકવા માંગ કરી ?
ચુંટણી પંચના 2 કમિશનરોની નિમણૂક અંગેનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એવી માંગ કરી છે કે સરકારને 2 કમિશનરોની નિયુક્તિ કરતાં રોકવામાં આવે. અરજીમાં એવો ઉલ્લેખ છે કે સીઈસી એક્ટ -2023 ની કાયદેસરતાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર કોઇની કમિશનર તરીકે નિમણૂક કરી શકે નહીં અને તેને એમ કરતાં કોર્ટે અટકાવવી જોઈએ તેવી દલીલ કોર્ટમાં કરવામાં આવી હતી. અત્યારે સ્થિતિ એવી છે કે ચુંટણી પંચમાં માત્ર એક મુખ્ય ચુંટણી કમિશનર જ કાર્યરત છે અને 2 કમિશનરોની જગ્યા ખાલી થઈ ગઈ છે.
આ પહેલા અરૂપ ચંદ્રા નિવૃત્ત થઈ ગયા હતા અને ત્યાર બાદ અરુણ ગોયલે રાજીનામું આપી દીધું હતું. આમ બધો કાર્યભાર એકલા મુખ્ય ચુંટણી કમિશનર ઉપર આવી ગયો છે. દરમિયાનમાં કોંગ્રેસે કેટલાક કારણો બતાવીને સરકારને રોકવાની માંગ કરી હતી.
15 માર્ચે કમિશનરોની નિયુક્તિ માટે વડાપ્રધાન મોદીના પ્રમુખપદે મહત્વની બેઠક મળવાની છે ત્યારે જ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.