મોદીના શપથગ્રહણની તારીખ બદલાઈ, હવે ક્યારે લેશે શપથ ? વાંચો
લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને 293 બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા હતા. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. હવે મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આજે એનડીએની સંસદીય પક્ષની બેઠકમાં મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટવામાં આવશે. બધા જ નેતાઓ દિલ્હી રોકાયા છે.
જો કે તેમના શપથ ગ્રહણ સમારોહની તારીખને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારોહની તારીખ બદલવામાં આવી છે. હવે મોદી 9 જૂને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. અગાઉ આ કાર્યક્રમ 8 જૂને યોજાવાનો હતો. મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દરમિયાનમાં અગાઉ જાહેર થયા મુજબ એનડીએની સંસદીય પક્ષની બેઠક 7 જૂન એટલે કે આજે દિલ્હીમાં મળનારી છે અને તેમાં બધા જ નેતાઓ હાજર રહેવાના છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટવામાં આવશે. ત્યાર બાદ સરકાર બનાવવાનો વિધિવત દાવો કરવામાં આવશે. અઅ માટે ગુરુવારે ભાજપના ટોચના નેતાઓની બેઠક પણ મળી હતી.