ચીનની બીમારીને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને કેવી સૂચના આપી ? વાંચો
ચીનમાં કોરોના બાદ શરૂ થયેલી નવી રહસ્યમય બીમારીએ દુનિયાના અનેક દેશોને ડરાવી દીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ ચેતવણી જારી કરી ચૂક્યું છે. આ બીમારીએ બાળકો પર વધુ જોખમ ઊભું કર્યું છે. હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. રાજ્યોને સરકારે એવી તાકીદ કરી છે કે હોસ્પિટલોમાં તૈયારીની સમીક્ષા થવી જોઈએ.
આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવી ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી હતી. જો કે સાથે એમ પણ કહ્યું છે કે ગભરાઈ જવાની જરૂર નથી પણ નિયમોનું બરાબર પાલન કરતાં રહેવાનું છે. અત્યારે દેશમાં એલર્ટ જેવી કોઈ સ્થિતિ નથી. ચીનમાં તો અનેક સ્કૂલો બંધ કરવી પડી છે.
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં એમ કહ્યું છે કે ચીનમાં શ્વાસની બીમારી ફેલાઈ છે ત્યારે અમે દેશના બધા જ રાજ્યો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અત્યારે કોરોના જેવી ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના બધાને અપાઈ છે. જો કે લોકોએ ગભરાઈ જવાની જરૂર નથી, દેશમાં કોઈ એલર્ટની સ્થિતિ જાહેર કરાઇ નથી.
કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે બધા જ રાજ્યો કોરોના વખતના દિશાનિર્દેશોનું પાલન કરાવે તે જરૂરી છે. ચીનમાં શ્વાસ લેવામાં લોકોને તકલીફ છે અને તેને ન્યુમોનિયા કહેવામાં આવે છે ત્યારે દેશમાં પણ બધી તૈયારીની સમીક્ષા જરૂરી છે.