સોનાક્ષી-ઝહીરના લગ્ન સાથે જ લવ જેહાદનો મુદ્દો ઉછળ્યો
બિહારી બાબૂના નામથી લોકપ્રિય શત્રુઘ્ન સિહાની પુત્રી અને અભિનેત્રી સોનાક્ષી સિહાએ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ બિહારની હિન્દુ શિવ ભવાની સેનાએ રોષ વ્યક્ત કર્યો છે. હિન્દુ શિવ ભવાની સેનાએ પટનામાં પોસ્ટ લગાવી બંનેના લગ્નને લવ જેહાદ ગણાવ્યો છે. સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં, તેવી ધમકી પણ આપી છે.
પટનામાં લગાવેલા પોસ્ટરમાં શત્રુઘ્ન સિહા, સોનાથી સિહા અને ઝહીર ઈકબાલનો ફોટો છએ. જેમાં લખ્યું છે કે, સોનાક્ષી સિહા, અને ઝહીર ઈકબાલના લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશમાં ઈસ્લામીકરણ કરવાનો પ્રયાસ, શત્રુઘ્ન સિહાજી લગ્નના નિર્ણય પર પુન વિચાર નહીં કરે તો તેમના પુત્ર લવ અને કુશ અને ઘરનું નામ રામાયણ તુરંત બદલી દે, તેનાથી હિન્દુ ધર્મનું અપમાન થઈ રહ્યું છે. સોનાક્ષી સિહાને હિન્દુ શિવ ભવાની સેના
બિહારમાં પ્રવેશવા દેશે નહીં. રવિવારે ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિહા પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્નના તાંતણે બંધાયા છે. સોનાક્ષી (ઉ.વ.૩૭) અને ઝહીર (ઉ.વ..૩૫)એ પોતાના પરિવારજનોની ઉપસ્થિતિમાં બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં સિવિલ મેરેજ કર્યા હતા.
નવદંપત્તિએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મારફત લગ્નની જાહેરાત કરી હતી. જેમાં કેપ્શમાં લખ્યું કે, આજથી સાત વર્ષ પહેલાં અમે બંનેએ એકબીજાની આંખોમાં પ્રેમનું એવું સુંદર સ્વરૂપ જોયુ હતું, અને બસ ત્યારથી નક્કી કર્યું કે, સાથે રહીશું. આ પ્રેમએ અનેક અડચણો પાર કરી છે અને આજે અમે બંને આ ક્ષણ સુધી પહોંચી શક્યા છીએ. અમારા બંનેના પરિવાર અને ઈશ્વરના આશીર્વાદથી અમે અહીં સુધી આવ્યા છીએ.