VIDEO : રાજકોટ-અમદાવાદ હાઇવે પર મુખ્યમંત્રીએ અચાનક કાફલો અટકાવ્યો,રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. 194 કરોડની રકમના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ પધાર્યા છે. ત્યારે હીરાસર એરપોર્ટ નજીક અચાનક કાફલો અટકાવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને મળ્યા હતા. રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચતા સામાન્ય નાગરિકોને મળવાના પગલાને લોકોએ બિરદાવ્યું હતું. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છથી ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ કાફલો અટકાવવાનો આદેશ આપ્યો
વિકાસ સપ્તાહ અંતર્ગત 194 કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ આવ્યા છે ત્યારે હીરાસર એરપોર્ટ નજીક એક હ્રદયસ્પર્શી બનાવ સામે આવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઇવે પર મોટી ખેડૂતો ઉભા હતા. મુખ્યમંત્રીની નજર ખેડૂતોના પર પડતાં, તેમણે સુરક્ષા પ્રોટોકોલની પરવાહ કર્યા વિના પોતાનો કાફલો અટકાવવાનો આદેશ આપ્યો હતો. કાફલો અચાનક ઉભો રહેતા પોલીસ પણ દોડતી થઇ હતી.
મુખ્યમંત્રી પટેલે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને રસ્તા પર ઉભેલા ખેડૂતો અને લોકોનું હસીને અભિવાદન જીલ્યું હતું. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મુખ્યમંત્રીએ લોકો સાથે સંવાદ સાધીને તેમની લાગણીઓને માન આપ્યું હતું. લોકો પણ અચાનક મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન જીલી તેમની સાથે મુલાકાત કરી હતી.
રૂ. 194 કરોડની રકમના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરવા માટે રાજકોટ પધાર્યા છે. ત્યારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છથી ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા અને દુર્લભજીભાઈ દેથરીયા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો :CM ભૂપેન્દ્ર પટેલ બન્યા રાજકોટના મહેમાન : ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને ભાવભર્યો આવકાર
194 કરોડના ખર્ચે 18 વિકાસ કામોના ખાતમુહૂર્ત
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. જેમાં કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સભાગૃહ ખાતેથી તેઓ રૂપિયા 194 કરોડના ખર્ચે 18 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં ડેપ્યુટી કલેકટરના ક્વાટર્સ, એમજી હોસ્ટેલ, નવું આઈટીઆઈ, પડધરી બાયપાસથી ગામ સુધીના રોડ સહિતના 194 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
