Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતધાર્મિક

આજે શીતળા સાતમ : જાણો શા માટે આ દિવસે ઠંડુ ખાવામાં આવે છે ? શું છે શીતળા સાતમની વ્રતકથા

Sun, August 25 2024



જન્માષ્ટમીના તહેવાર પૂર્વે શીતળા સાતમ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં ભાદ્રપદના કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે શીતળા સાતમ 25 ઓગસ્ટ 2024, રવિવારના રોજ છે.ત્યારે ચાલો જાણીએ શું છે શીતળા સાતમનું મહત્વ અને શા માટે શીતળા માતાની પૂજા કરવામા આવે છે.

શીતળા સાતમ પહેલા રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવારમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ટાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે.

એક લોકવાયકા અનુસાર, સાતમના દિવસે રસોડામાં ચૂલો સળગાવવામાં આવતો નથી, આમ કરવાથી શીતળા માતા કોપાયમાન થાય તેવી દંતકથા પ્રચલિત છે. તેથી તમામ મહિલાઓ રાંધણ છઠની રાત્રે ઢેબરા, રાયતું, કારેલાનું શાક, મીઠાઈઓ, મગસ અને અન્ય વિવિધ વાનગીઓ સાતમના દિવસે ખાવા માટે તૈયાર કરી દે છે. ત્યારબાદ તેઓ પૂજાવિધિ કરીને ચૂલો કે ગેસ બંધ કરી દે છે. જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે. આ તો થયું શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું ધાર્મિક મહત્ત્વ, પણ આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. ચાલો જાણીએ.

શીતળા સાતમની વ્રતકથા:

કથા પ્રમાણે કોઈ ગામમાં દેરાણી-જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા. સાસુની બંને પુત્રવધૂના ઘરે  એક એક દીકરા હતા. દેરાણી-જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી. એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ આવ્યો. સાસુએ નાની પુત્રવધૂને રાંઘવા બેસાડી, નાની પુત્રવધૂ મોડી રાત સુધી રાંઘતી રહી. આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. પોતાના બાળકને રડતા જોઈ માએ બધું કામ પડતું મૂક્યું અને છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ, દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે તે જોતજોતામાં સૂઈ ગઈ. નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ.

ચૂલો સળગતો રહ્યો, મદ્યરાત પછી શીતળા માં ફરવા નીકળે છે અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે, શીતળા માં ચૂલામાં જાય છે પરંતુ શીતળા માને શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે. ગુસ્સે ભરાયેલા શીતળા મા નાની વહુને શ્રાપ આપે છે કે  ‘જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો’.

વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો, તેનું આખું શરીર દાઝી ગયુ હતું. બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે. નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ, આ બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી, કોઈ તેનું પાણી પીતું ન હતું કેમ કે  જે પણ પીએ તે મૃત્યું પામતું હતું.

નાની વહુને જતા જોઈ તલાવડીઓ બોલી, “બહેન તું ક્યા જાય છે?” ત્યારે નાની વહુ કહે છે કે, “હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું.” તલાવડીઓએ નાની વહુને કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો.

નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે, તેમના ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે.

નાની વહુ આગળ વધે છે ત્યા થોડે દૂર તેણે જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળ પરથી જૂ વીણતી હતી. વહુને જોઈને ડોશીમા બોલે છે કે બહેન મારા માથામાં  ખંજવાળ આવે છે, જરા જૂ કાઢી આપ ને…  નાની વહુ દયાળુ હતી, ભલે તેને ઉતાવળ હતી તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી ડોસીમાંના માથામાંથી જૂ કાઢી આપે છે. થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે. તેઓ વહુને આશીર્વાદ આપતા કહે છે કે “જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો” આટલું બોલતા જ ચમત્કાર થાય છે, ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ જાય છે. વહુ જાણી જાય છે કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના આશીર્વાદ લે છે.

 વહુએ શીતળા માતાને  તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી, કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું, તેના જવાબમાં શીતળા માં બોલ્યા કે ગયા જન્મમાં બન્ને દેરાણી-જેઠાણી હતા, તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

નાની વહુ ખુશી થઈને  શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતાં તલાવડીઓ પાસે વહુ આવી, તેમના શ્રાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું. બંને તલાવડીનો શ્રાપ દૂર થયો. ઘરે આવી તેણે સાસુમાને આ બધી વાત કરી આ સાંભળી તેની જેઠાણીને ઈર્ષા થઈ.

ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે, તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાનું શરીર દાઝી ગયું તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો.

સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો, દુ:ખી થવાના બદલે જેઠાણી ઊલટાની ખુશ થઈ  તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળે છે. રસ્તામાં જેઠાણીને તલાવડી મળે છે અને પૂછે કે બહેન ક્યાં જાય છે ? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને.. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા, જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી , આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું.  જેઠાણએ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારા માથામાંથી જૂ કાઢી આપું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. આથી તે રડતી રડતી ઘરે આવી. હે, શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો.

શીતળા સાતમ પર ઠંડુ ખાવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ

શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવા પાછળ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ તહેવાર એવા સમયે ઉજવવામાં આવે છે જ્યારે શ્રાવણની ઠંડક વિદાય લે છે અને ભાદરવાના તડકા શરૂ થાય છે. એવામાં તે બે ઋતુઓનો સમયગાળો હોય છે. આ સમયગાળા દરમિયાન ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નહીંતર તેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ ઋતુમાં ઠંડો ખોરાક ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લેવામાં આવે છે.

જયારે વાતાવરણમાં બદલાવ આવતો હોય ત્યારે ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ. જો સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારની મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે. એટલે કે શીતળા સાતમ પર ઠંડુ ભોજન કરવાથી મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે. ઉપરાંત બે ઋતુ ભેગી હોય એવા સમયે ઠંડુ ભોજન કરવાથી પેટ અને પાચનતંત્રને પણ ફાયદો થાય છે.

Tags:

dharmiikdharmik newsshitla matashitla satam

Share Article

Other Articles

Previous

રાઇડ્સ વગર લોકમેળો અધૂરો : રાજ્યમંત્રી રાઘવજી પટેલ

Next

૫૦૦૦ની લાંચ’ને ૭૯૫ દિવસની જેલ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

Delhi Assembly election 2025 : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત : કાલે મતદાન, ‘આપ’ માટે સતા ટકાવવાનો સંઘર્ષ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન પહેલીવાર ટી-૨૦ શ્રેણી જીત્યું
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 13 એપ્રિલ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, રોજગારીની નવી તક મળશે ; વિશેષ લાભ થશે
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવાનો “વારો” જ ન આવતા કોંગ્રેસનો વોકઆઉટ…આખું સભાગૃહ જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું…આ વિશે શું કહ્યું બંને પક્ષના નેતાઓએ જુઓ વિડીયો…
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર