તબલા વાદકના માથા ઉપર એસટી બસનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે નીપજ્યું મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દિવસે ને દિવસે ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ભરૂચમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં તબલા વાદકના માથા ઉપર એસટી બસના ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને 108 મારફતે પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બુધવારની છે બાઈક સવાર યુવાન નીખીલ સોલંકીની રીક્ષા સાથે ટક્કર થયા બાદ માર્ગ પર પટકાતા એસટી બસના ટાયર તેના માથાં પર ફરી વળતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક કાર્યકતાએ સ્થળ પર પહોંચી પોલીસે જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
તબલા વાદકને નર્મદા મૈયા બ્રિજ પર યુવકનું અકસ્માતમાં મોત
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.આ માર્ગ પર અનેક અકસ્માત થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચથી અંકલેશ્વર તબલા વગાડવા જતો તબલા વાદકને નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતમાં મોત મળ્યું હતું. બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોઈવા એસટી બસ પ્રવેશ કરી રહી છે અને અકસ્માતોના બનાવ સામે આવી રહ્યા છે. 40 ની સ્પીડ ની લિમિટ હોવા છતાં એસટી બસો પૂરપાટ ઝડપે નીકળે છે ત્યારે એસટી બસના ટાયર તબલા વાદક યુવક નીખીલના માથા પર ફરી જતા યુવાનનું મોત નીપજ્યું હતુ. તબલા વગાડવા જાય તે પહેલા જ યુવાન મોતને ભેટ્યો હતો.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,અકસ્માત સર્જાયા બાદ એસટી બસનો ચાલકે તેની બસ ઉભી રાખવાની તસ્દી પણ ન લીધી હતી.જેના પર લોકો ફિટકાર વરસાવી હતી. ત્યારે યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.