Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજથી રાજકોટમાં ઉગશે બબ્બે સૂરજ !! નવરાત્રિનો થશે રંગેચંગે પ્રારંભ: ઠેર-ઠેર રંગબેરંગી ચણિયાચોલી, કેડીયું પહેરેલા ખેલૈયા જ દેખાશે

Thu, October 3 2024


આજથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખાસ રાજકોટની વાત કરીએ તો અહીં દસ દિવસ સુધી દરરોજ બબ્બે સૂરજ ઉગવાના છે ! ખેલૈયાઓ આ રળિયામણી ઘડીની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આખરે આવી જતાં તેને મન ભરીને માણી લેવા માટે રીતસરના તલપાપડ જોવા મળી રહ્યા છે. આજે રાત પડશે એટલે શેરીએ-ગલીએ રંગબેરંગી, મનમોહક ચણિયાચોલી, કેડીયું પહેરેલા ખેલૈયા જ જોવા મળશે. રાજકોટમાં આ વર્ષે ૪૭૭ જેટલી ગરબી તો ૧૬ જેટલા અર્વાચીન રાસોત્સવનું આયોજન થવાનું છે ત્યારે તેમાં દરરોજ ૧૦૦થી લઈ ૮,૦૦૦ સુધીના ખેલૈયાઓ રમતાં જોવા મળશે.
એકંદરે આજથી દશેરા સુધી રાજકોટમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની ધૂમ જ જોવા મળવાની છે જેમાં એક વર્ષના બાળકથી લઈ ૬૦ ર્વે સુધીના વૃદ્ધ પણ રાસ લેતાં જોવા મળશે.

શહેરમાં અર્વાચીન રાસોત્સવનો ટે્રન્ડ પાછલા થોડા વર્ષોથી વધ્યો છે પરંતુ તેના પહેલાં લગભગ દરેક વિસ્તારમાં નાની-મોટી ગરબીનું આયોજન થઈ જ રહ્યું છે. ખાસ કરીને કરણપરા, રામનાથપરા, જંકશન સહિતના વિસ્તારોમાં ગરબીનું આયોજન થાય છે અને તેમાં નાની બાળાઓ સહિતના રાસ લઈ મા દૂર્ગાની આરાધના કરે છે તે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને ભક્તિમય બની જાય છે. આ પ્રકારની ગરબી જ નવરાત્રીનું સૌથી મોટું `ઘરેણું’ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

વળી, અર્વાચીન રાસોત્સવમાં પણ એક એકથી ચડિયાતા રાસોત્સવના ગીત વાગતાં હોય અને ખેલૈયા તેમાં રમે નહીં તેવું બની શકે ખરું ? આ વખતે રાજકોટમાં નવ દિવસ સુધી અર્વાચીન રાસોત્સવના ઢગલાબંધ આયોજન થયા હોવા છતાં પાસ મેળવવા માટે ખેલૈયાઓએ છેવટ સુધી હડિયાપટ્ટી કરવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નવરાત્રિનો તહેવાર શરૂ થયા બાદ લોકો દિવાળીની પણ એટલી જ આતૂરતાથી રાહ જોઈ રહ્યા હોય છે એટલે એમ કહી શકાય કે આજથી લઈ દિવાળી સુધી લોકો તહેવારમય બની જશે.

ખેલૈયાઓની એક જ વિનવણી; બસ, વરસાદ ‘દયા'રાખે તો સારું !

જન્માષ્ટમી પર એકધારા વરસાદને કારણે લોકોએ ઘરમાં જ રહેવું પડ્યું હતું અને તહેવારને મન ભરીને માણી શક્યા ન્હોતા. બીજી બાજુ નવરાત્રિ શરૂ થઈ રહી હોય તેમાં રાસ રમવા માટે ખેલૈયાઓના પગ રીતસરના થીરકી રહ્યા છે ત્યારે એવી વિનવણી પણ કરવામાં આવી રહી છે કે આ તહેવારમાં વરસાદદયા’ રાખે તો ઘણું સારું ! હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા નહીંવત્‌‍ છે આમ છતાં કુદરતનો `મૂડ’ ક્યારે બદલાઈ જાય તેની કલ્પના કાળા માથાનો માનવી કરી શકે ખરો ?

બજારો ખીલી ઉઠશે, દિવાળી સુધી ખરીદીનો રહેશે ધમધમાટ

સામાન્ય રીતે નવરાત્રિ પૂર્ણ થાય એટલે લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે. જન્માષ્ટમી પર ખરીદી નહીંવત્‌‍ થઈ હોવાથી દિવાળી પર ખરીદી કરવામાં `કરંટ’ જોવા મળે તેવી શક્યતા છે ત્યારે આજથી બજારો પણ ખીલી ઉઠશે અને છેક દિવાળી સુધી ખરીદીનો ધમધમાટ જોવા મળશે. આ સાથે જ વેપારીઓના ચહેરા પણ તહેવારોને કારણે મલકાઈ રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ઇઝરાયેલ: બદલો લેશું જ | ઈરાન : તો કચડી નાખીશું… મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ હવે અનિવાર્ય, અમેરિકાએ આપી ગંભીર પરિણામોની ધમકી

Next

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ : જાણો માતા શૈલપુત્રી સાથે જોડાયેલી પવિત્ર કથા વિશે  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

‘ઓટીઝમ’ એ કોઈ રોગ નથી, ગભરાવ નહીં : નિશીતા શાહ
રાજકોટ
1 વર્ષ પહેલા
સંતકબીર રોડ પર મહાનગરપાલિકાના ખાડાએ પિતા-પુત્રનો ભોગ લીધો
રાજકોટ
1 વર્ષ પહેલા
અષ્ટાંગ આશ્રમના વૈધ મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદ વિશે શું કહ્યું? સાંભળો..
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજખોરોએ યુવાનની કરેલી હત્યા અંગે પોલીસે વ્યાજખોર પિતા પુત્રની કરી ધરપકડ જુઓ શું કહ્યું એસીપી ભાર્ગવ પંડ્યા એ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર