Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહોમ

સોમનાથ મંદિર માટે ‘સુપ્રીમ’ આદેશ : સર્વોચ્ચ અદાલતે કહ્યું વિવાદિત જગ્યા સરકાર હસ્તક જ રહેશે

Sat, October 26 2024

પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.બીજી તરફ ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે જમીન તેમની પાસે રહેશે આ જમીન કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

સોમનાથ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મામલે ઓલિયા-એ-દિન સમિતિ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાળ મંગવકામાં આવી છે ત્યારે સમિતિ વતી  વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતા જણાવ્યું હતું કે, જે જમીનના બાંધકામને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે, તે જમીન 1903ની છે અને તે સમિતિના નામે નોંધાયેલી છે. સિબ્બલે કહ્યું કે જમીનના કાયદાકીય અને ઐતિહાસિક દરજ્જાને માન આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી રહી છે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં વિવાદિત જમીન સોમનાથ ટ્રસ્ટના કબજામાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એસજીએ કહ્યું કે અરજદારના દાવાઓ ભ્રામક છે અને સરકારને ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત સરકાર પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશન અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 57 એકર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં મુસ્લિમ સમુદાયના અનેક ધાર્મિક સ્થળો અને રહેઠાણોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો દરિયાને અડીને આવેલા છે અને ગેરકાયદેસર છે.  જો કે, ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાયેલી જમીન સરકાર પાસે રહેશે અને આગળના આદેશો સુધી કોઈપણ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. જે બાદ ખંડપીઠે કહ્યું કે આ સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી નથી લાગતો. 

બીજી તરફ પટ્ટણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ અરજીમાં સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના કથિત ઉલ્લંઘન બદલ રાજ્યના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. તેના આદેશમાં સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય વાદી તરફથી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદી હાજર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદેસર વકફ જમીન પર સ્થિત બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાથે જ તેઓએ જે જગ્યાએ બાંધકામ તોડી પડાયા છે ત્યાં મંદિરો યથાવત રાખવામાં આવ્યા હોવાનું અને માત્ર મુસ્લિમ સમાજના જ બાંધકામ તોડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.અહમદીએ તેમના અસીલની આશંકા વ્યક્ત કરી કે જો સરકાર કોઈ ત્રીજા પક્ષને જમીન ફાળવવા પ્રયાસ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

ઈરાનના સૈન્ય મથકો તેમજ તહેરાન સહિતના શહેરોમાં ઇઝરાયેલ દ્વારા ભારે બોમ્બ મારો

Next

કાલથી રાજકોટ રંગાશે દિવાળી ઉત્સવ’ના રંગમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટ :- ગોંડલ રોડ પર સાડી શોપમાં આવી અને મહિલા કેવી રીતે કરે સાડીની છે ચોરી…જુઓ CCTV ફૂટેજ…
રાજકોટ
2 વર્ષ પહેલા
બાબા રામદેવને ક્યાંથી મળી રાહત ? શું છે મામલો ? વાંચો
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
રાજકોટમાં સ્કોર્પિઓ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી….
રાજકોટ
2 વર્ષ પહેલા
કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અગ્નિકાંડ, પરીક્ષામાં ગોટાળા અને ભરતી કૌભાંડમાં ચર્ચાની માંગ કરી હોબાળો મચાવતા એક દિવસ માટે સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર