જેતપુરમાં કેટરર્સના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ : માનવ ભ્રુણની તપાસમાં થયો મોટો ખુલાસો, વાંચો શું છે સમગ્ર મામલો
જેતપુર શહેરમાંથી પાંચ મહિના પૂર્વે જાહેર જગ્યા પરથી એક મૃત માનવ ભૂણ મળેલ હતું. સામાન્ય લાગતા આ બનાવમાં પોલીસ તપાસમાં ભોગ બનનાર પાસે તે જેની સાથે કામ પર જતી હતી તે તેની પાસે દેહ વેપાર કરાવવાનું એક મોટું સેક્સ રેકેટ ખુલ્યું છે. ભોગ બનનાર સગીરા પાસે દોઢ વર્ષથી દેહ વેપારનો ધંધો કરાવવામાં આવતો જેમાં તેણીને ગર્ભ રહી જતા આખો ગુન્હાહિત બનાવ બહાર આવ્યો હતો. અને આ ગુનામાં પોલીસે એક મહિલા સહિત નવ શખ્સોના જાહેર કર્યા છે. જ્યારે બાકીના આરોપીઓના નામ પોલીસ પાસે રહેલ છે.
દીકરીઓને કેટરસના કામમાં મોકલતા હોય તે વાલીઓ માટે ચેતવણીરૂપ લાલબત્તી સમાન કિસ્સો જેતપુર શહેરમાં બહાર આવ્યો છે. જેમાં ગત તા. 30 જાન્યુઆરીના રોજ જેતપુરમાંથી એક મૃત માનવ ભૂણ મળી આવ્યું હતું આ ભૂણ બાબતમાં પોલીસે ગણતરીની કલાકોમાં ભૂણને ત્યજનાર માતાને શોધી લીધી હતી. જેમાં ભોગ બનનાર સગીર વયની હોય તેણીના પિતાની ફરીયાદ પરથી પોલીસે બીએનએસ 64(1), 89, 91, 54 તથા જાતીય સતામણી સામે બાળકોને રક્ષણ આપતો અધિનયમ 2012ની કલમ 6 અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એકટ 1971 ની કલમ 5(2) હેઠળ ગુન્હો નોંધી જેતલસર જંકશન ગામના કાનાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. અને ભૃણનું, સગીરાનું તેમજ કાનાનું ડીએનએનું સેમ્પલ સરકારી હોસ્પીટલ મારફત લેવડાવી પૃથક્કરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. ત્યારબાદ સગીરવયની હોવા છતાં અંગત લાભ ખાતર સગીરાને તપાસી તેણીને ગાર્ભપાતની દવા લખી આપનાર ડો. સુશીલભાઈ ગોવિદભાઈ કાનાણી તેમજ ગર્ભપાતની દવા આપનાર હરેશભાઈ કેશુભાઈ વિરડીયા વિરડીયા મેડિકલ સ્ટોરવાળાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : લગ્ન-પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ પર મુકાશે કાપ : આહીર સમાજ બાદ રબારી સમાજે સુધારાવાદી નવા નિયમો મૂક્યા અમલમાં
ચોંકાવનારી માહિતી મુજબ ડો.કાનાણી સહીત ત્રણ ડઝન કરતા વધારે શકમંદોની પુછતાછ કરી હતી. છેવટે ગુનો નોંધી ડો. કાનાણી સહીત પાંચેક જણાની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા હતા. જેમાં ડોકટર કાનાણી પાંચમાં દિવસે અદાલતમાંથી જામીન ઉપર પણ છૂટી ગયા હતા. ડોક્ટર કાનાણીએ દવા લખી આપી હોવાનું કહેવાય છે.યુવતીએ મેડીકલ સ્ટોરમાંથી દવા લઈને સેવન કર્યું હતું. જેના પગલે ગર્ભ નીકળી ગયો અને હોસ્પિટલથી થોડે દુર જીવંત ગર્ભને અવાવરું જગ્યામાં ફેંકી દીધો હતો.ગર્ભને ફેંકતા જોઈ ગયેલ કોઈ રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ડોક્ટર, મેડીકલ સ્ટોર શંકાના ઘેરામાં આવતા પોલીસે ઊંડી તપાસ કરી ને ડોકટર કાનાણી, મેડીકલ સ્ટોરના સંચાલક હિરપરા સહિતનાની અટકાયત કરતા પોલીસને મોટામાથાઓની ભલામણો આવવા લાગી હતી.
લાદીરોડ પર રહેતો અખ્તર ઓસમાણભાઈ ડબગર તેણીને તેમજ અન્ય એક સગીરાને તેણીઓના માતાપિતાને કેટરસના કામમાં લઈ જાય છે તેવુ જણાવી રાત્રીના સમયે બંનેને દેહ વેપાર માટે જુદાજુદા લોકો પાસે જુદીજુદી જગ્યાએ મોકલતો અને અખ્તર પણ આ બંને સગીરાઓ સાથે શરીર સબંધ બાંધતો હતો. આ બંને સગીરાને મોકલતો હતો. અને જેની પાસે અખ્તર સગીરાઓને દેહ વેપાર માટે મોકલતો તેવા ભાવિક ઉર્ફે ભાવેશભાઈ ભુપતભાઈ મેણીયા, હિજીભાઈ ઉર્ફે હિરાભાઈ નાગજીભાઈ પાઘડાર, વસંતગીરી હંસગીરી ગોસાઈ રહે ત્રણેપ જેતપુર, સાગરભાઈ બાબુભાઈ ઝાલા રહે. ઉમરકોટ, શૈલેશભાઈ મેરામણભાઈ લખપીર રહે. સરધારપુર આ પાંચ શખ્સોના પોલીસને નામ આપ્યા હતાં.
આ પણ વાંચો : વાડાની જમીન પણ ખેતીની જમીન ગણાય : જસદણના બળધોઇ ગામની જમીનના કેસમાં કલેકટરનો મહત્વનો ચુકાદો
અખ્તર સગીરાઓને કોની કોની પાસે દેહ વેપાર માટે મોકલતો તેવી પોલીસની પ્રારંભિક પુછપરછમાં તેણે પાંચ શખ્સોના જ નામ આપેલ. અખ્તરને જેતપુર કોર્ટમાં દસ દિવસની રીમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે સાત દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં. બીજીબાજુ ભોગ બનનાર સગીરાએ તેણી સાથે અન્ય સગીરા પણ ભોગ બની હોવાનું પોલીસને જણાવેલ અને અખ્તરે પણ બીજી સગીસ સાથે પણ શારીરિક સંબંધ અને દેહ વેપાર કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બીજી સગીરાના માતાપિતાનો સંપર્ક કરી સગીરાના ઉંમરનો પુરાવો માંગેલ જેમાં તેણીના માતાપિતા પાસે ઉંમરના પુરાવા માટે એક માત્ર આધારકાર્ડ જ મળેલ જેમાં સગીરાની 15 વર્ષની ઉંમર બતાવેલ. જેથી તેણીની વાસ્તવિક ઉંમર જાણવા પોલીસે તેણીનો ઓસીફિકેશન ટેસ્ટ કરાવવા રાજકોટ હોસ્પીટલ ખાતે મોકલેલ. જેમાં રીપોર્ટ તેણીની ઉંમર 19 વર્ષની આવી હતી. આ બનાવ અંગે સીટી પીઆઈ વી.સી. પરમારે જણાવેલ કે, હાલ અખતરના રીમાન્ડ પૂર્ણ થઈ ગયેલ છે.