IPSની બદલીનું બીજુ લીસ્ટ તૈયાર : 40 અધિકારીઓની તોળાતી બદલી
અમદાવાદના પોલીસ કમિશનરે સારી ટીમ માગી : ટૂંક સમયમાં બદલી-બઢતીનાં ઓર્ડર
૨૫ જેટલા આઈ.પી.એસ અધિકારીઓની બદલી થયા બાદ હવે સરકારે ૪૦ જેટલા અધિકારીઓની બદલીની યાદી તૈયાર કરી છે અને ટૂંક સમયમાં લીથો બહાર પડશે તેવું જાણવા મળ્યુ છે. આ બદલીની સાથે સાથે બઢતીના પણ કેટલાક ઓર્ડર થશે તેવુ સુત્રોએ જણાવ્યુ છે.
ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બદલી અને બઢતીના બીજા રાઉન્ડમાં વરિષ્ઠ આઈ.પી.એસ અધિકારીઓને સી.આઈ.ડી. ક્રાઈમનો હવાલો સોંપવામાં આવશે. બે આઈપીએસ અધિકારીઓએ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ માટે વિનંતી કરી છે તો તેની સામે એક આઈ.પી.એસ. અધિકારી બે વર્ષ પછી કેન્દ્રીય પ્રતિનિયુક્તિથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ સારું પોસ્ટીંગ આપવામાં આવી શકે છે.
સુત્રોએ કહ્યુ હતું કે, અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે થોડા સમય પહેલા રાજ્ય સરકાર પાસે સારા અધિકારીઓની ટીમ માગી હતી અને સરકારે તેમને તેમની પસંદગીની ટીમ આપવાની તૈયારી પણ દર્શાવી છે.
રાજકોટ રૂરલના ડી.આઈ.જી. જયપાલસિંહ રાઠોડની અમદાવાદના સેક્ટર-૨માં કરવામાં આવેલી બદલી આ દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે. હાલમાં બદલીનું જે લીસ્ટ તૈયાર થઇ રહ્યુ છે તેમાં ખાસ કરીને અમદાવાદમાં મોટાપાયે સાફસૂફી થવાની સંભાવના જોવા મળી રહી છે.
હાલમાં રાજ્ય સરકાર અધિકારીઓના પોસ્ટીંગમાં કોઈનું લોબીઈંગ ચલાવતી નથી અને ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થા ઉપર કાબુ લઇ શકે તેવા અધિકારીઓની જ સારી જગ્યાએ પોસ્ટીંગ આપી રહી છે. સોમવારે જે અધિકારીઓની બદલી કરવામાં આવી તેમા બિન કાર્યક્ષમ સાબિત થયેલાને સાઈડમાં પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે.
બદલીની યાદીમાં અમદાવાદ ઉપરાંત રાજકોટના કેટલાક આઈ.પી.એસ.અધિકારીઓની બદલી હોવાનું પણ જાણવા મળ્યું છે. એક અધિકારીએ છેડા ગોતીને નજીકના જ જિલ્લામાં સ્વતંત્ર પોસ્ટીંગ માગ્યુ હતું પણ તેની આ મંશા પૂરી થઇ નથી અને બીજા અધિકારીને પોસ્ટીંગ આપી દેવામાં આવ્યુ છે. હવે આવા અધિકારીઓ