વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરમાં રહેતી પરિણીતાને તેના પતિએ તરછોડી દેતા પોતાના અને તેના સંતાનો માટે ભરણ પોષણ મેળવવા કોર્ટમાં દાદ માંગી હતી. જેમાં અદાલતે સામાવાળા પતિને દશ હજાર માસિક ચૂકવવા આદેશ કર્યો હતો
વિગતો અનુસાર, રાજકોટ રહેતા સલમાબેનના લગ્ન વર્ષ 2010માં ધાર્મિક રીતિ રિવાજ મુજબ અલ્લારખા મહંમદભાઈ દલવાણી સાથે થયા હતા. લગ્નના થોડાક સમય બાદ તેના પતિએ માનસિક ત્રાસ આપી તેણીને અને તેના બે સંતાનોને તરછોડી દીધા હતા. તેમજ ત્યાર બાદ તેના પતિએ સંતાનોની ભરણપોષણ,બિમારી, અને અભ્યાસ અંગે કોઈ જવાબદારી નિભાવી નહોતી. જેથી સલમાબેન દ્વારા કોર્ટમાં ભરણપોષણ અંગે દાદ મંગાઈ હતી.આ કેસ ચાલવા પર આવતા અરજદારના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને ફેમિલી કોર્ટે અરજી મંજૂર કરી સલમાબેનને છ હજાર જ્યારે બંને સંતાનોને બે-બે હજાર એમ કુલ રૂ.10 હજાર માસિક ભરણ પોષણ ચૂકવવા પતિને હુકમ કર્યો હતો. અરજદાર વતી ફેમિલી કોર્ટના લીગલ એઇડના પેનલ એડવોકેટ પરેશ.બી. રોકાયેલા હતા.