રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા 23મી જગન્નાથ રથયાત્રાની પુરજોશમાં તૈયારી શરૂ : 27 જૂને ભગવાન નગરચર્યાએ નીકળશે
આ વર્ષે 27મી જૂનએ અષાઢી બીજ આવે છે. ઈસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રાને નગરચર્યા કરે છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, આ વર્ષે 27મી જૂનના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા નીકળશે.રથયાત્રા બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઈન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોકથી કાલાવડ રોડ પર જફુસ ચોક, કટારીયા સર્કલ થઈ ઈસ્કોન મંદિર ઐ આવશે.

રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા ની તૈયારીના છે.
આ પણ વાંચો : સાયલાના ઇશ્વરીયા ગામે ફિલ્મી સ્ટાઇલમાં યુવકની હત્યા : કારને આંતરી ઘાતક હથિયારો વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું

ભાગરૂપે ઈસ્કોન મંદિર રાજકોટ ખાતે રથોના સમારકામનું તેમજ રથોનું રંગકામ પણ શરૂ થઈ ગયેલ છે. આ વખતે રથોના સમારકામ તેમજ રંગકામ ગામ માટે કેરેલાથી વિશેષ કારીગરો મંગાવવામાં આવ્યા છે જેઓએ રથોનું સમારકામ શરૂ પણ કરી દીધેલ છે.
આમ, રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રાના દિવસે ભગવાનના રથ ખેંચવાનો લાભ લેવા માટે તેમજ રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું આમંત્રણ છે.