રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી મહિનાના અંતમાં જાહેર થવાની છે અને એપ્રિલના અંત સુધીમાં નવા શાસકો પણ ચૂંટાઈ જવાના છે ત્યારે હંમેશા ચૂંટણી લડવા માટે તૈયાર રહેતાં ભાજપ દ્વારા સંગઠન ઉપર ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરી એક બાદ એક માળખાની જાહેરાત કરવામાં આવી રહી છે. રવિવારે વોર્ડ પ્રભારી, વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યો સહિતનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તમામ’ને વ્યવસ્થિત સાચવી લેવામાં આવ્યા હોવાનું સાથે સાથે માટે થનગનતા વાંચ્છુકોને પણ હવે આટલામાં જ માનવું પડશે તેવો મેસેજ આપી દેવામાં આવ્યાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.
શહેર ભાજપ માટે કારોબારી સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં 70 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમાં અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન મોલિયા ઉપરાંત કિશોર રાઠોડ, ગુણવંતભાઈ ડેલાવાળા, રમેશ પરમાર, મનિષ ભટ્ટ, જ્યોતિબેન ટીલવા, કિરણબેન માંકડીયા,જસુમતિબેન વસાણી, અજય પટેલ, કિરીટ આદ્રોના, પૂજાબેન પટેલ સહિતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
આ જ રીતે વિશે આમંત્રિત સભ્યોમાં કુલ 15 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મહત્તમ સભ્યો જૂના જોગી મતલબ કે વર્ષોથી શહેર ભાજપ સાથે સંકળાયેલા હોય તેવા જ નામ છે. આ નામમાં વજુભાઈ વાળા, ડૉ. વલ્લભભાઈ કથિરીયા, રમેશભાઈ રૂપાપરા, ધનસુખ ભંડેરી, પ્રતાપ કોટક, જાડેજા, અરવિંદ રૈયાણી, ઉમેશભાઈ રાજ્યગુરૂ, ટપુભાઈ લીંબાસીયા સહિતને સ્થાન આપવામાં આવ્યું હતું.
મુકેશ દોશી, નીતિન ભારદ્રાજ, કમલેશ મીરાણી, ત્રણેય મહામંત્રીને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડૉ. ઝોન ફાળવી દેવાયો જ્યારે શહેર ભાજપના ત્રણેય માહાસંસથાનિ ઝોનની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત અઢારેય વોર્ડના પ્રભારી પણ જાહેર કરી સંગઠન પાંખની રચનાનું લગભગ તમામ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને સૌને સાચવી લેવાયા જેવું જમ્બો મંડળ બનાવાયું.
