રાજકોટ : કટારિયા ચોકડીએ 30 મહિનામાં તૈયાર થશે બ્રિજ, ડાયવર્ઝન આપવામાં તંત્ર ઊંધામાથે
મુખ્યમંત્રી આજે કાલાવડ રોડ પર કટારિયાએ ચોકડીએ આઈકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે આજથી જ તેનું કામ શરૂ કરી દેવામાં આવશે. આમ તો આ બ્રિજનું ટેન્ડર મંજૂર થઈ ગયાને ઘણા મહિના વીતી ગયા હતા પરંતુ મુખ્યમંત્રી જ તેનું ખાતમુહૂર્ત કરે તે માટે તેમની તારીખની રાહ જોવાઈ રહી હતી. હવે આજે ખાતમુહૂર્ત થઈ ગયા બાદ ૩૦ મહિનાની અંદર આ બ્રિજ તૈયાર થઈ જશે તેવો દાવો તંત્રવાહકો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અહીંથી દરરોજ હજારો નાના-મોટા વાહન પસાર થઈ રહ્યા હોય તેને ડાયવર્ઝન ક્યાંથી આપવું તેને લઈને તંત્ર ઉંધામાથે થઈ ગયાનું જાણવા મળી રહ્યો છે.
બીજી બાજુ સિક્સ-લેનના આ બ્રિજમાં હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ફિટ કરવામાં આવશે જેના થકી બ્રિજમાં નાનામાં નાની અથવા મોટામાં મોટી કોઈ નુકસાની થઈ હશે તો તુરંત જ કોમ્પ્યુટર ઉપર મેસેજ આવી જશે. આ ઉપરાંત બ્રિજમાં ડેકોરિટીવ લાઈટિંગ અને બીઆરટીએસ લેન ગ્રેડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં ફ્લાયઓવર બ્રિજની લંબાઈ ૭૪૪ મીટર રહેશે અને પહોળાઈ ૨૩.૧૦ મીટર રહેશે. જ્યારે ફ્લાય ઓવરબ્રિજની લંબાઈ ૭૪૪ મીટર અને પહોળાઈ ૨૩.૧૦ મીટર રહેશે. અન્ડરબ્રિજની લંબાઈ ૪૫૯ મીટર અને અન્ડર બ્રિજ બોક્સની સાઈઝ ૮.૫૦ મીટર રહેશે.