રાજકોટમાં આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં રાજકોટ AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
રાજકોટ AIIMSમાં MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટર રતન મેઘવાલ જે રાજસ્થાનનો (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન) નિવાસી છે તેણે મેન્ટલી ડિસ્ટર્બ હોવાથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરા પીપળીયા રેલવે ફાટક પાસે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી રતને જીવન ટૂંકાવી લીધું હતું જેમાં તેમની પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને આત્મહત્યા કરતા બચાવી લીધો હતો, પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોંચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું.
પુત્રના મૃત્યુની જાણ થતા રાજસ્થાન રહેતા માતા-પિતાને થતા પરિવારમાં ગમગીની છવાઈ છે. સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો ઉલ્લેખ ઇન્ટર્ન ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4:45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મૃતકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જ બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
