નરેન્દ્ર મોદી લિખિત ગરબાને કંઠ આપનાર પૂર્વા મંત્રીએ શરદપૂનમની રાતને રઢિયાળી બનાવી
અમદાવાદમાં ગુજરાત મીડિયા ક્લબ આયોજિત રાસોત્સવમાં ગાયિકાનું સન્માન
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમાનો રાસોત્સવ પ્રખ્યાત ગાયિકા પુરવા મંત્રીની હાજરીને લીધે યાદગાર બની ગયો હતો. ગાયિકા પૂર્વા મંત્રીએ પોતાની કલા અને પ્રદર્શનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એસજી રોડ પર યોજાયેલ આ ઇવેન્ટમાં, મીડિયા જગતના સભ્યો, તેમના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો સંગીત, નૃત્ય અને મિત્રતાની ખુશીઓ સાથે જોડાયા હતા.
આ રાસોત્સવનું મુખ્ય આકર્ષણ પુરવા મંત્રીનાં કંઠે ગવાયેલું નવીન ગરબા ગીત હતું, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ લખવામાં આવ્યું હતું. પુરવા મંત્રીએ રજુ કરેલા આ ગીતના રિધમ પર ગરબા પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈને ઝૂમ્યા હતા.
આ પ્રસંગે પુરવા મંત્રીએ કહ્યું, “આ પહેલી વાર છે કે મને વિશેષ રૂપે પત્રકાર સંઘ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું છે, અને ગર્વ છે કે ગરબાના ચાહકો તરફથી મને એટલો આદર અને ઉત્સાહ મળ્યો.”
પુરવા મંત્રીનું નવરાત્રી દરમિયાન રિલીઝ થયેલું તાજેતરનું ગરબા ગીત ‘આવતી કલાય’*ની પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રશંસા કરી છે.
ગુજરાત મીડિયા કલબ દ્વારા આયોજિત આ શરદ પૂનમનાં રાસોત્સવમાં મોટી સંખ્યામાં પત્રકાર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહને યાદગાર બનાવ્યો હતો.