વિજયભાઈને યાદ કરીને PM થયા ભાવુક : કહ્યું-તેઓ આપણા વચ્ચે ન રહ્યા તે માનવા મારું મન તૈયાર નથી, પરિજનોને મળીને સાંત્વના પાઠવી
અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારે તેમને ગુજરાત જ નહીં બલ્કે આખા દેશભરના રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ સહિતના શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દરમિયાન શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે દૂર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હોસ્પિટલે જઈને ઘાયલોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે સ્વ.વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેમજ પરિવારજનોને મળીને સાંત્વના પણ પાઠવી હતી. ત્યારબાદ વડાપ્રધાને ટવીટ કરીને લખ્યું કે વિજયભાઈ આપણા વચ્ચે નથી રહ્યા તે માનવા માટે મારું મન તૈયાર નથી.

વડાપ્રધાને ટવીટમાં લખ્યું કે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તેમજ પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકીર્દિની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે… pic.twitter.com/Yewze1sWjY
— Narendra Modi (@narendramodi) June 13, 2025
અન્ય ટવીટમાં વિજયભાઈ રૂપાણી સાથેની તસવીર શેયર કરીને લખ્યું કે તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં પછી તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો. વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં ભર્યા હતા જેમાં `ઈઝ ઑફ લિવિંગ’એ નોંધપાત્ર છે. તેમની સાથે થયેલી મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો : વિશ્વભરમાં 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટના, 1500 મુસાફરોના મોત : જાણો કેવા કેવા સંજોગોમાં થાય છે પ્લેન ક્રેશ

અંજલીબેને વિજયભાઈના કમાન્ડોને કહ્યું, કાલે સાહેબનું ધ્યાન કેમ ન રાખ્યું ?
વિજયભાઈ રૂપાણીનું નિધન થયાની જાણ થતાં જ લંડનમાં રહેલા તેમના પત્ની અંજલિબેન તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. શુક્રવારે સવારે તેઓ એરપોર્ટ પહોંચ્યા કે ધ્રુસકે ધ્રુસને રડી પડ્યા હતા. આ વખતે તેમણે વિજયભાઈનું મુખ જોવા માટે પણ ભારપૂર્વક કહ્યું હતું. જ્યારે વિજયભાઈના કમાન્ડોને અંજલિબેને કહ્યું કે તમે સાહેબનું કાયમ ધ્યાન રાખતા હતા તો કાલે કેમ ન રાખ્યું ? આટલું કહીને તેઓ રડવા લાગતાં ત્યાં હાજર તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.

સાંત્વના પાઠવતી વખતે મોદી ભાવુક બન્યા, અંજલિબેન રડી પડ્યા
અમદાવાદ ખાતે સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેનને મળીને વડાપ્રધાને સાંત્વના પાઠવી ત્યારે ખુદ મોદી પણ ભાવુક બની ગયા હતા સાથે સાથે અંજલિબેન પણ રડી પડ્યા હતા…