વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ
સુરત મહાનગરપાલિકાએ આપી દંડની પહોંચ: ડી.જે.નો ઘોંઘાટ પણ હતો

સ્વચ્છતાના મામલામાં સુરત હંમેશા અગ્રેસર રહે છે તેનું કારણ તેના શાસકો અને અધિકારીઓનો શહેર પ્રત્યેનો પ્રેમ છે, સંવેદના છે. હાલમાં લગનગાળો ચાલી રહ્યો છે અને વરઘોડો રોડ ઉપર થી નીકળે ત્યારે જાહેરમાં ફટાકડા ફોડવામાં આવે છે અને ડીજે.નો ઘોંઘાટ કરવામાં આવે છે. સાથોસાથ ધાર્મિક પ્રસંગો પણ ચાલી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ આવા અવાજના અને હવાના પ્રદુષણ સામે લાલ આંખ કરી છે અને એક ધાર્મિક પ્રસંગના આયોજકને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખ્યું હતું. પરંતુ રસ્તા પર ફટાકડા ફોડી કચરો નાખવામાં આવ્યો હતો. વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો તે બદલ પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે તે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાંચ હજાર રૂપિયા દંડ સાથેની રસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે તેની પર અનેક કોમેન્ટ થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આવું માત્ર સુરતમાં જ થાય છે એવું નથી. દરેક શ્શેરમાં થાય છે પણ આ પ્રકારના પગલા લેવાની હિમત માત્ર સુરત જ કરી શકે છે તે સાબિત થઇ ગયું છે.