પાપા, મેરી જાન..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા વિજય રૂપની સાથે ‘ફાધર્સ ડે’ સેલિબ્રેટ કર્યો હોત!
પાપા, મેરી જાન, હર દમ રખનાં અબ હાથ યે સર પર તુમ..વો એક તારા હો તુમ….મેરા જગ સારા હો તુમ…..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા “વિજયભાઈ”સાથે ફાધર્સ ડે પર સેલિબ્રેટ કર્યો હોત……!!!

રવિવારે “ફાધર્સ ડે”ની ઉજવણી થઈ ત્યારે આ ઘડી ઋષભ અને રાધિકા રૂપાણી માટે આ ખાસ દિવસ અઘરો રહ્યો હશે..!! તેમની પાસે પિતા ન હતાં હતો તો પાર્થિવ દેહ અને તેમની યાદો….!! જો આ ગોઝારી ઘટના ન બની હોત તો દીકરી લંડનમાં ફાધર્સ ડે પર પિતા સાથે હોત…

પિતા માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે,વિજયભાઈ માટે રાધિકા લાગણીનું ઝરણું…4 વર્ષ પૂર્વે જ્યારે મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારે રાજકીય ચર્ચાઓ વચ્ચે દીકરી રાધિકાએ પિતા માટે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી બોલનારાઓને ચૂપ કરી દીધા હતા.જેનું શીર્ષક હતું “વિજય રૂપાણી એક દીકરીની નજરે”

રાધિકાએ લખ્યું હતું કે, રાજકીય વિશ્લેષકો અને મીડિયા વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ, ભાજપમાં તેમના યોગદાન અને રાજકીય નિર્ણયોની ચર્ચા કરે છે, પરંતુ એક દીકરી માટે આ બધું ગૌણ છે.તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના પિતા તેમના માટે હંમેશા એવા વ્યક્તિ રહ્યા છે જે તેમને વ્હાલ કરે છે, તેમની સાથે રમે છે અને કુટુંબની સંભાળ રાખે છે.પોસ્ટમાં રાધિકાએ પિતાના સંઘર્ષ, સમર્પણ અને નમ્રતાની પ્રશંસા કરી હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે રાજકીય દબાણ અને ટીકાઓ વચ્ચે પણ તેમણે હંમેશા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું.

રાધિકાએ લખેલી પોસ્ટનાં શબ્દો આ મુજબ છે…કાલે બહુ બધા રાજકીય વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈનાં કામો અને એમનાં ભાજપનાં કાર્યકાળની ઝીણવટભરી વાતો કરી,એમનો ખૂબ આભાર…આ પોસ્ટમાં કાર્યકર્તાથી શરૂ કરી મુખ્યમંત્રી સુધીનો સમય લોકો માટે સીમિત છે જ્યારે મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ,અક્ષરધામ પરનો ત્રાસવાદી હુમલો,ગોધરાકાંડ, તાઉતે,કોરોનામાં પપ્પા ખડેપગે ઉભા રહ્યા છે.
આ પણ વાંચો : આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર
આજે અમે બંને ભાઈ-બહેન અમારા ફિલ્ડમાં સેટલ્ડ છીએ,અમે ડાઉન ટુ અર્થ છીએ,ઓલ થેનક્સ ટુ અવર પેરેન્ટ્સ.અમારા ઘરમાં ચાર સૂત્રો હતાં, લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.કોઈનો પણ રાત્રે કોલ આવે તો નમ્રતાથી વાત કરવી,ઘરે કોઈ પણ વ્યક્તિ આવે પપ્પા હાજર હોય કે નહી ચા-નાસ્તો કરાવવાનો જ.હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો,પહેલાં ભણવાનું અને પછી મોજમજા..પુત્રીએ કરેલી પોસ્ટથી વિજયભાઈ રૂપાણી ભાવુક થયા હતા,જો પ્લેનક્રેશની ગોઝારી ઘટના ન બની હોત તો પિતા ને ફાધર્સ ડે પર રૂબરૂ પોતાની લાગણી અભિવ્યક્તિ કરી હોત….