રાજ્યમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે : બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે,કેબિનેટની બેઠકમાં મળી મંજૂરી
ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ, નડીયાદ, પોરબંદર હવે મનપા બનશે. રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
નવા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રખાશે
બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે. કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુમથક એ થરાદ રહેશે. આની સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં મળી સૈદ્ધાંતિક મંજુરી
વાત મહત્વની એ પણ છે કે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.