જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે મૃગીકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવશે શિવભક્તો
મહા શિવરાત્રિના પર્વને લઈને સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ છવાયો છે ત્યારે ગરવા ગિરનારની તળેટી બમ બમ ભોલેના નાદથી આજે ગુંજી ઉઠશે. મિનિ કુંભ સમાન ગણાતા મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ગયો છે અને ચાર દિવસીય આ મેળામાં દેશભરમાંથી જુદા-જુદા અખાડાઓના સાધુ-સંતો જુનાગઢ પહોંચી ગયા છે. જ્યારે ભજન, ભોજ અને ભક્તિના આ મેળામાં શિવભક્તો પણ અખાડાના સાધુઓ, દિગંબર સાધુઓના દર્શન અને પુણ્યનું ભાથું બાંધવા માટે જુનાગઢ પહોંચ્યા છે. આ ખૂબ જ પ્રખ્યાત ભવનાથનાં મેળામાં મહા શિવરાત્રિની મધ્ય રાત્રીએ ભગવાન ભવનાથની મહાપૂજા કરવામાં આવશે. શિવરાત્રિના દિવસે એટલે કે આજે થતી મહાપૂજા સમયે શંખનાદ સાથે દિગંબર સાધુઓનુ સરઘસ (રેવાડી) નીકળશે અને મૃગીકુંડમાં સ્નાન કરશે. એવું કહેવાય છે કે, મૃગીકુંડમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.