Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ : દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Tue, December 2 2025

સંત સુરદાસ યોજના દેશનાં દિવ્યાંગ નાગરિકોને આર્થિક સુરક્ષા અને સહારો આપવા માટે શરૂ કરાયેલી એક મહત્વની સામાજિક કલ્યાણ યોજના છે. ત્યારે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ 2025-26થી સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવીને ‘વિકલાંગ’ વ્યક્તિઓને  ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપીને સમાજમાં તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નથી, પરંતુ રાષ્ટ્રના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે. વર્ષ 2016માં, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડી છે. આ કાયદાથી દિવ્યાંગોને માત્ર અધિકારો જ નહીં, પણ સમાનતા અને સુરક્ષાનું કવચ મળ્યું છે.

આ પણ વાંચો :PMOનું નામ બદલાયું : હવે ‘સેવા તીર્થ’તરીકે ઓળખાશે, દેશભરના તમામ રાજભવન હવે લોક ભવન તરીકે ઓળખાશે

કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. 820 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.

છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ લાભાર્થીઓને રૂ.820 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 820 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજનાઓ થકી સાર્થક થઈ રહ્યો છે.

 દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ  બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જોગવાઈને દુર કરીને હવેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ-વ્હીલર મેળવી શકે છે.

દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને 100% વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.1000 સહાય આપવામાં આવે છે. મોટોરાઇઝડ ટ્રાઇસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરની નવી યોજના અમલી બનાવાઈ છે.

દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામુલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે. આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી તેના દિવ્યાંગતાનું પ્રમાણપત્રના આધારે જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને  સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તા. 3 ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

Share Article

Other Articles

Previous

રાજકોટની મારવાડી યુનિ.ના છાત્રનો આપઘાત : હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Next

PMOનું નામ બદલાયું : હવે ‘સેવા તીર્થ’તરીકે ઓળખાશે, દેશભરના તમામ રાજભવન હવે લોક ભવન તરીકે ઓળખાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
500 કરોડમાં CMની ખુરશી? નવજોત સિંહ સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું
4 કલાક પહેલા
IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતવા હવે સૂર્યકુમાર પણ અજમાવશે આ કીમિયો, જાણો ટોસ જીતવો શા માટે મહત્વપૂર્ણ?
4 કલાક પહેલા
હૈદરાબાદના એક માર્ગને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આપવામાં આવશે: તેલંગણાના CMને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો
5 કલાક પહેલા
રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, હર્ષ સંઘવીએ આપી માહિતી
5 કલાક પહેલા
Categories

નેશનલ

2721 Posts

Related Posts

રાહુલ ગાંધીને શું લાગ્યો ઝટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ‘સ્વચ્છતાનાં સારથી’ ઓના હસ્તે ખુલ્લું મુકાયું ‘વોઇસ ઓફ ડે’ લાયન સર્કલ
ગુજરાત
4 મહિના પહેલા
અમદાવાદમાં તૂટી પડેલા વિમાનમાં કટ ઓફ સ્વિચને સ્પર્શ કોણે કર્યો હતો ? બંનેમાંથી કોઈ પાયલટે ફ્યુઅલ સ્વીચ બંધ કરી નહતી, પ્રાથમિક અહેવાલ બાદ ઊભા થયા સવાલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
હરિયાણાના બહાદુરગઢમાં INLDના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ MLA નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર