ઇન્કમટેક્સની નવી ગાઈડલાઈન : જો IT રિટર્નની વિગતો મેચ નહીં થાય તો ફટકારશે નોટિસ, આ બાબતોની થશે તપાસ
ઇન્કમટેક્સએ નવી ગાઈડલાઈન જારી કરી છે જેમાં અનેક લોકો પર IT પગલાં લઈ શકે એમ છે. નવી જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં ઇન્કમટેક્સ ની રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં નવા ફોર્મ,ટેક્સ ટેબલમાં સુધારા અને નિયમોમાં ઘરખમ તેમજ મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે.

ચાલુ વર્ષે ઇન્કમટેક્સ કરદાતાઓનાં આઈ ટી આર બારીકાઈથી તપાસ કરશે.જેમાં કરદાતાની આવક,કપાત,રોકાણ,ટેકસ લાયબીલીટી સહિતની માહિતી ચેક કરશે.જો એમાં કઈ પણ માહિતી શંકાસ્પદ લાગશે તો નોટિસ ફટકારશે.જો રિટર્નમાં વિસંગતતા જોવા મળશે તો 30 જૂન 2025 સુધીમાં તપાસ માટે નોટિસ મોકલાશે.કેસને તપાસમાંથી બાકાત રાખવા માટે ઇન્કમટેક્સ ચીફ કમિશનરની મંજૂરી ફરજિયાત ધોરણે લેવી પડશે.
આ બાબતોની તપાસ થશે
ITના જણાવ્યા અનુસાર જો 1 એપ્રિલ 2023 પછી આવકવેરા સર્વે (કલમ 133 A હેઠળ,2A સિવાય)ને આધીન થયા છો,તો આઈ ટી આર ની ચકાસણી થશે.
આ પણ વાંચો : અમદાવાદની ગોઝારી ઘટના બાદ લોકોને વિમાનમાં બેસતાં લાગી રહ્યો છે ‘ડર’ : 35% પેસેન્જરોએ ટીકીટ કેન્સલ કરાવી
- 1 એપ્રિલ 2023 અને 31 માર્ચ 2025 વચ્ચે તમારા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોય અથવા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોય( કલમ 132 અથવા 132 A) તો તમારા રિટર્નની ચકાસણી કરવામાં આવશે.
- જો કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોય(31 માર્ચ 2024 સુધી) અને છતાંય તેને ટેક્સ મુક્તિ માટે ક્લેઇમ કર્યો તો આ કેસમાં તપાસ આવી શકે છે.
- જો કરદાતા આવકમાં અગાઉના મુલ્યાંકનમાં 50 લાખરૂ. મોટા શહેરોમાં અથવા 20 લાખ રૂ અન્ય સ્થળોથી વધુનો વધારો થયો હોય અને તમે અપીલ ન કરી હોય અથવા અપીલ હારી ગયા હોય તો આવા કિસ્સામાં ચકાસણી થઈ શકે.
- જો CBI,ઇડી અથવા અન્ય કોઈ એજન્સીએ તમારી કરચોરી સંદર્ભે માહિતી આપી હોય અને તમે ITR ફાઇલ કર્યું તો તમારા કેસની તપાસ કરવામાં આવશે.