મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડી : છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જુનાગઢમાં 6 ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
ચોમાસાના પ્રારંભ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસેલા મેઘરાજાએ અઠવાડિયાના મેઘવિરામ બાદ ફરી સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા દક્ષિણ ગુજરાત ઉપર ઓળઘોળ બન્યા બાદ અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ અચાનક જ મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડી હતી ત્યારે છેલ્લી 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. ત્યારે જુનાગઢના માળીયા હાટીનામાં 6.18 વરસાદ પડ્યો હતો. વારા ફરતી વાર મેહુલિયો સમગ્ર ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રો માટે પણ રાહતના સમાચાર છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટીનામાં 6.18 ઈંચ, વિસાવદરમાં પાંચ ઈંચ તો રાજકોટમાં સાંજ સુધીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે પણ રાજકોટ, જૂનાગઢ અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠાના વડાળીમાં પણ 153 મિલીમીટર (6.0 ઇંચ), ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 133 મિલીમીટર (5.24 ઇંચ) વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

માંગરોળ (જૂનાગઢ) 130 મિલીમીટર (5.1 ઇંચ) અને ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4.0 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં

પોરબંદરના રાણાવાવમાં 3.23 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.1 ઈંચ, ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4.0 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં વરસાદ
રાજકોટમાં ગુરુવારે બપોરે બે વાગ્યા બાદ રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજા વાજતે ગાજતે રુમઝુમ કરતા આવ્યા હોય તેમ ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચની જેમ દે ધનાધન વરસવાનું શરૂ કરતા એક કલાકમાં જ રાજકોટ શહેરમાં બે ઈંચથી વધુ વરસાદ વરસાવ્યો હતો.મેઘરાજાની તોફાની ઇનિંગને પગલે રાજકોટના રૈયારોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ત્રિકોણબાગ, રાજપૂત પરા, સામાકાંઠા વિસ્તાર સહિતના વિસ્તારમાં ચોતરફ પાણી-પાણીની સ્થિતિ વચ્ચે રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

6 દિવસ ભારે રાજ્યમાં પડશે ભારે વરસાદ : હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

28 જૂનની આગાહી
28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે.

29 જૂનથી 1 જુલાઈની આગાહી
રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.

2 જુલાઈની આગાહી
2 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.