IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
રવિવારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમ વિશ્વના નંબર વન બોલર વરુણ ચક્રવર્તીને પડતો મુકે તેવી શક્યતા રહેલી છે. ટૂર્નામેન્ટના સુપર-8 રાઉન્ડ બાદ તેના ફોર્મમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં જેકબ બેથેલે વરુણ ચક્રવર્તીને જ નિશાન બનાવ્યો હતો.
વરુણે આ મેચમાં ચાર ઓવરમાં 64 રન આપી માત્ર એક વિકેટ ખેડવી હતી. જો કે અક્ષર પટેલે વરુણ ચક્રવર્તી સાથે વાતચીત કરી એ વાત પર જોર આપ્યું કે જ્યારે સ્થિતિ અનુકુળ ન હોય ત્યારે પણ રણનીતિ ઉપર ટકી રહેવું કેટલુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો કે તેનું ફોર્મ જોતાં ટીમ ઈન્ડિયા વરુણના સ્થાને કુલદીપને તક આપે તેવી શક્યતા પણ રહેલી છે.
આ પણ વાંચો :ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી
ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’
સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતનો સામનો હવે આવતીકાલે રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર થશે. જો કે ભારત માટે ન્યુઝીલેન્ડ સામે જીતવું ખૂબ જ કપરું બની રહે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતનો પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થવાનો છે. આ બન્ને ગ્રુપ સ્ટેજ કે સુપર-8માં ટકરાઈ નહોતી આવી એટલે મેચ રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે.
ટી-20 વર્લ્ડકપમાં પણ બન્ને ટીમ વચ્ચેના રેકોર્ડ જોઈને ભારતીય ક્રિકેટરસિકોના ધબકારા વધી જશે. ભારત અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીતી શક્યું નથી.
આ પણ વાંચો :કર્ણાટક સરકારની પહેલ: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! સ્ક્રીનના અતિરેક ઉપયોગને અટકાવવા લેવાયો નિર્ણય
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં છેલ્લે 2021માં ટક્કર થઈ હતી જેમાં ન્યુઝીલેન્ડ 8 વિકેટે જીત્યું હતું. વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 વખત મુકાબલો થયો છે અને 3ેય વખત ન્યુઝીલેન્ડ જ જીત્યું છે.
પહેલીવાર બન્ને 2007માં આમને-સામને હતા. ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડે ભારતને 10 રને હરાવ્યું હતું પરંતુ એ વર્લ્ડકપમાં ચેમ્પિયન ભારત બન્યું હતું.
આ પછી 2016ના ટી-20 વર્લ્ડકપમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારત 47 રને હાર્યું હતું. ત્રીજી અને છેલ્લીવાર 2021ના ટી-20 વર્લ્ડકપમાં મેચ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી.
