illegal immigrants : અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા અને ડીપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી આવી સામે, જુઓ લિસ્ટ
ડંકી માર્ગે અમેરિકા ગયેલા ભારતીયોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. તે 5 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને હવે વધુ બે અમેરિકન વિમાનો ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોને લાવી રહ્યા છે. અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવેલા વધુ ભારતીયોને લઈને અમેરિકાથી બે વિમાન શનિ-રવિ ભારત આવી રહ્યા છે. પહેલી ફ્લાઈટમાં ૧૧૯ ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને પ્લેનમાં મોટાભાગના લોકો પંજાબના અને ગુજરાતના હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમેરિકાથી ડિપોર્ટ થનાર 8 ગુજરાતીના નામની યાદી
- ધવલભાઈ કિરિટકુમાર લુહાર (કલોલ, ગાંધીનગર)
- રૂદ્ર ધવલભાઈ લુહાર (કલોલ, ગાંધીનગર)
- મિહિર ઠાકોર (ગુજરાત)
- ધીરજકુમાર કનુભાઈ પટેલ (અમદાવાદ, ગુજરાત)
- કેનીસ મહેશભાઈ ચૌધરી (માણસા, ગાંધીનગર)
- આરોહીબેન દિપકપુરી ગોસ્વામી (ગુજરાત)
- દિપકપુરી બળદેવભાઈ ગોસ્વામી (ગુજરાત)
- પુજાબેન દિપકપુરી ગોસ્વામી (ગુજરાત)
119 ઈન્ડિયન્સને લઈને એક ફ્લાઈટ રવાના
અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદે વસાહતીઓમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી, ઉત્તરપ્રદેશના 3, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.
પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. તેમા ગુજરાત અને હરિયાણાના 33-33 અને પંજાબના 30 હતા. પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રુટે અમેરિકામાં ઘૂસ્યા હતા.
પંજાબમાં આ રીતે પ્લેન ઉતારવા સામે કેટલાય રાજકીય પક્ષોએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે. પંજાબના નાણાપ્રધાન હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે. પંજાબે જો કે ગેરકાયદેસરની માનવ તસ્કરીના કાંડને પકડવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમા ડિપોર્ટીઓના નિવેદનોના આધારે દસ જેટલા બનાવટી ઇમિગ્રન્ટ કન્સલ્ટન્ટોની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

આ વખતે પહેલા કરતા વધુ ભારતીયો યુએસમાંથી ડિપોર્ટ થયા બાદ પરત ફરી રહ્યા છે. 15 જાન્યુઆરી (શનિવાર)ના રોજ અમેરિકન આર્મીનું એક જહાજ 119 ભારતીયો સાથે આવી રહ્યું છે. પ્લેન રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. જો કે તમામની નજર આ દેશનિકાલ પર રહેશે. આ વખતે પણ એક પ્રશ્ન લોકોના મોઢા પર રહેશે કે શું દેશનિકાલ કરાયેલા લોકો ફરીથી હાથકડી અને બેડીઓમાં જોવા મળશે?
15 અને 16 ફેબ્રુઆરીએ બે પ્લેન અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. જે ફ્લાઇટ અમેરિકાથી 15મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે પહોંચશે. તેમાં 119 ભારતીય હશે. આ ફ્લાઈટમાં સૌથી વધુ 67 લોકો પંજાબના છે. આમાં સૌથી વધુ 11 ગુરદાસપુરના, 10 કપુરથલાના, 10 હોશિયારપુરના અને 7 અમૃતસરના છે.
બીજી તરફ બીજી ફ્લાઇટમાં 33 લોકો હરિયાણાના, 30 પંજાબના, 8 ગુજરાતના, 3 ઉત્તર પ્રદેશના, 2 ગોવાના, 2-2 મહારાષ્ટ્ર અને રાજસ્થાનના હશે અને આ સિવાય એક વ્યક્તિ હિમાચલનો હશે અને માત્ર એક જ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરનો હશે. પંજાબના ગુરદાસપુરના 6, જલંધર અને અમૃતસરના 4-4 લોકો છે.