રાજ્યના ગૃહમંત્રી મંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.છેલ્લા ત્રણ દિવસથી સુરતની યુનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રમેશભાઈ સંઘવીનું આજે બપોરે મૃત્યુ થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત તેઓ સ્વભાવે સેવાભાવી અને સામાજીક કાર્યોમાં હંમેશા આગળ પડતા રમેશચંદ્ર સંઘવી છેલ્લા ગણા સમયથી બીમાર રહેતા હતા.
તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમની સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે બપોરે તેમની તબિયત વધારે બગડી હતી. જોકે, તેમણે હોસ્પિટલના બિછાનેથી દુનિયાને અલવિદા કહ્યું હતું.તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5 વાગ્યે ઉમરા સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે.