ગુજરાત હાઇકોર્ટે રાજ્યના સાત જજની કરી બદલી :
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૌરાષ્ટ્ર- કચ્છના સાત ડિસ્ટ્રીક જજની બદલી હુકમ કર્યો છે. જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના જીલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં જામનગરના એડી ડીસ્ટ્રીકટ જજ માધવી કેતનભાઈ ભટ્ટને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ તરીકે બદલી કરવામાં આવી, અમદાવાદના રજિસ્ટ્રાર નિપા ચંદ્રકાંત રાવલને ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ જજ તરીકે જવાબદારી મળી છે. જ્યારે જૂનાગઢના એડી ડિસ્ટ્રીકટ સ્પેન્ડ સેશન્સ જજ રંજન ધ્રુવકુમાર પાંડેની બનાસકાંઠા દીપોદર ખાતે બદલી કરાઈ છે. ગાંધીધામના એડી સેશન્સ જજ બસંતકુમાર ગુરમુખલાલ ગોલાણીની ફેમિલી કોર્ટ ભુજના પ્રિન્સિપાલ જજ તરીકે અને ભુજના એડી.સેશન્સ જજ મનિષ અરૂણકુમાર પંડયાને ગાંધીધામ ફેમિલી કોર્ટના જજ તરીકે નિમણૂક અપાઈ છે.