ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
અમદાવાદમાં 274 લોકોનો ભોગ લેનારી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બની તેના થોડા અઠવાડિયા પહેલાં જ સંસદની સ્થાયી સમિતિએ ઉડ્ડયન સુરક્ષા અને દુર્ઘટના તપાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળની અપૂર્તતા અંગે ગંભીર ચેતવણી આપી હતી. સમિતિના અહેવાલમાં, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર હોવા છતાં, ઉડ્ડયન સુરક્ષા અને તપાસ માટે માત્ર 35 કરોડ રૂપિયાની ફાળવણી અપૂરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

25 માર્ચ, 2025ના રોજ રાજ્યસભામાં રજૂ કરાયેલા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ વિષયક સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરક્રાફ એક્સિડન્ટ ઈન્નેવસ્ટિગેશન બ્યુરો (AAIB) અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ને ફાળવવામાં આવેલા ભંડોળમાં અસંગતતા દર્શાવવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે DGCAને 30 કરોડ રૂપિયા, AAIBને 20 કરોડ અને BCASને 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોની તુલનામાં ઘણી ઓછી રકમ હતી.
આ પણ વાંચો : જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
અમદાવાદ દુર્ઘટનાની તપાસ AAIB ને સોંપવામાં આવી છે પરંતુ સમિતિએ ચેતવણી આપી હતી કે AAIBને ફાળવવામાં આવેલું 20 કરોડ રૂપિયાનું બજેટ આવી ગંભીર દુર્ઘટનાઓની તપાસ માટે અપૂરતું છે.સમિતિએ નોંધ્યું હતું કે ભારતમાં એરપોર્ટની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે અને મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સંથિતિમાં AAIB અને BCASને વધુ ભંડોળની જરૂર છે. અહેવાલમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું મૂડી ખર્ચ ઉડ્ડયનની મુખ્ય સંસ્થાઓને ભંડોળની ફાળવણીમાં સ્પષ્ટ અસંતુલન દર્શાવવામાં આવ્યું હતું.